________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર છે.
એ નગરમાં ઊંચા ઊંચા દેવમંદિરો અને ભવ્ય ભવનો છે. એ નગરની ચારે બાજુ પાતાલ-ઊંડી ખાઈઓ છે. ગગનસ્પશિ કિલ્લો છે. કુબેરનગર જેવી આ નગરની ઋદ્ધિ છે. ઇન્દ્રના મહેલ જેવો રાજા જિતશત્રુનો ભવ્ય મહેલ છે.
રાજા જિતશત્રુને “જયશ્રી નામની રાણી છે. રાણીઓ તો અનેક છે, પરંતુ બધી રાણીઓમાં પટ્ટરાણી અને પ્રિય રાણી જયશ્રી છે. જયશ્રી સાથે રાજા નિરંતર દિવ્ય સુખ ભોગવે છે.
એક દિવસની વાત છે. રાજા જિતશત્ર પોતાના પ્રિય અશ્વ ઉપર બેસીને, શિકાર કરવા જંગલમાં ગયો. થોડા ઘોડેસવાર સૈનિકો રાજાની સાથે ગયા. જંગલમાં બે-ચાર પશુઓનો શિકાર કર્યો. અચાનક રાજાનો ઘોડો ઊછળ્યો. વાયુવેગે દોડ્યો. તે વિંધ્ય પર્વતની ખીણમાં રાજાને લઈ ગયો... ખીણમાં ખાડાટેકરા હતા. ઘોડો ધીમે ધીમે ચાલવા લાગ્યો.
ત્યાં દૂરથી એક ભીલે રાજાને જોયો. ભીલ રાજાને ઓળખી ગયો, “આ રાજા લાગે છે. આ મહાઅટવીમાં ભૂલો પડવો લાગે છે. હું એને સહાયતા કરું.”
ભીલ રાજા પાસે આવ્યો. તેણે રાજાને કહ્યું: “હે ઉત્તમ પુરુષ, તમે આ અટવીમાં ભૂલા પડ્યા લાગો છો. ચાલો મારી સાથે. હું તમને ભોજન આપીશ અને પછી માર્ગ બતાવીશ.” ભીલે ઘોડાની લગામ પકડી, અને ચાલવા લાગ્યો.
એક જળાશય પાસે પહોંચ્યા. ભીલે પહેલા ઘોડાને પાણી પીવડાવ્યું, પછી ઘોડાનું પલાણ છોડીને તેને નવડાવ્યો. રાજાએ પણ જળાશયમાં સ્નાન કર્યું. ભીલે ઘોડાને પાસેની ભૂમિ પર ચરવા મૂકી દીધો. ત્યાં પુષ્કળ દુર્ગાનું ઘાસ ઊગ્યું હતું.
ભીલે રાજાને જળાશયના કિનારે વૃક્ષોની ઘટામાં બેસાડ્યો અને કહ્યું: ‘તમે અહીં બેસો. હું થોડાં ફળો લઈને જલદી આવું છું.”
ભીલ ગયો. થોડી વારમાં ફણસ, નારંગી, જમરૂખ વગેરે ફળો લાવીને, રાજા પાસે મૂક્યાં, ભીલ રાજાનાં ચરણોમાં પ્રણામ કરી કહ્યું; “મારા પર કૃપા કરી, આ ફળોનો તમે આહાર કરો.”
ભીલના વિનય-સત્કારથી રાજા પ્રભાવિત થયો. તેણે ફળાહાર કર્યો. તેણે વિચાર્યું: આ ભીલ દેખાય છે, છતાં એની બોલવાની કેવી ચતુરાઈ છે! કોઈ મારો પરિચય ના હોવા છતાં મારા પ્રત્યે એનો પ્રેમ-આદર કેવો છે. જેમ કોઈ સજ્જન નાગરિક
૧890
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only