Book Title: Samaraditya Mahakatha Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 479
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ સ્થાને તેમણે સાત વાર્તાનો નાશ કર્યો. ૧. સૂકિયા-અપ્રતિપાતી ધ્યાન, ૨. સર્વે કિઠ્ઠિઓ, ૩. શાતા વેદનીય કર્મનો બંધ, ૪, નામ-ગોત્રકર્મની ઉદીરણા, ૫. શુક્લ વેશ્યા, ૬. સ્થિતિ-રસનો ઘાત અને ૭. યોગ. આ સાત વાતોનો ક્ષય કરી, તેઓ “અયોગી-કેવલી’ ગુણસ્થાનકે પહોંચી ગયાં. પાંચ હ્રસ્વ સ્વરના ઉચ્ચારણકાળ જેટલો સમય પસાર કરી, તેઓ ઊર્ધ્વગતિએ સિદ્ધશિલા પર પહોંચી ગયાં. છે જન્મ-જરા અને મૃત્યુથી રહિત, અચલ, અરુજ અને પરમાનંદ,સુખને સાધી આપનાર, પરમ સિદ્ધિને તેઓ પામ્યાં. દેવલોકના દેવો ઊતરી આવ્યાં, અયોધ્યાની ધરતી પર. દેવોએ કેવળજ્ઞાની ભગવંતના દેહને સ્નાન કરાવ્યું. ઉત્તમ વસ્ત્રો પહેરાવ્યાં. ચંદનનાં કાષ્ઠોની ચિતા રચી. દેવોએ કેવળજ્ઞાનીના દેહને ચિતા પર પધરાવ્યો. અગ્નિકુમાર દેવોએ અગ્નિ પેટાવ્યો, વાયુકુમાર દેવોએ પવન વિસ્તાર્યો. અગ્નિની ભડભડતી વાળાઓમાં દેહ ભસ્મીભૂત થઈ ગયો. પ્રધાન અસ્થિઓ કુંભમાં ભરીને, દેવો દેવલોકમાં લઈ ગયાં. દેવલોકમાં, એકાંત સ્થળમાં એની સ્થાપના કરી. ઇન્ડે બધા દેવોને બોલાવ્યાં. સહુએ અસ્થિકળશની પૂજા કરી. હર્ષપૂર્વક પ્રણામ કર્યા. ૦ ૦ ૦ સમરાદિત્ય મહર્ષિનું નિર્વાણ થઈ ગયું. તેઓ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ ગયાં. પરમ સુખ અને પરમાનંદના ભોક્તા બની ગયાં... પરંતુ ' સાધુઓ ચોધાર આંસુએ રડવા લાગ્યાં. સાધ્વીઓ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. શ્રાવકો ને શ્રાવિકાઓ ઘેરું કલ્પાંત કરવા લાગ્યાં. સર્વત્ર શોક, વિષાદ અને કલ્પાંતનું વાતાવરણ છવાઈ ગયું. ન રડ્યા એકમાત્ર આચાર્ય શીલદેવ. શ્રી સમરાદિત્ય મહાકથા ૧૪૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491