Book Title: Samaraditya Mahakatha Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 464
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇન્દ્ર સહિત સર્વ દેવોએ, દેવીઓએ તથા રાજા-રાણીઓએ બહુમાનપૂર્વક કેવળજ્ઞાનીને પુનઃ વંદના કરી. છે કિન્નરોએ ભક્તિનાં ગીત ગાવા શરૂ કર્યા. જ અપ્સરાઓએ નૃત્યનો પ્રારંભ કર્યો. દેવો વિવિધ વાદ્યો વગાડી સાથ આપવા લાગ્યાં. જ મહા-મહોત્સવ પ્રવર્યો. મહાઆનંદ છવાઈ ગયો. છે આ બધું આશ્ચર્યચકિત બની ગિરિર્ષણ જુએ છે... અને વિચારે છે: અહો, આ મહાત્માની કેવી અદ્ભુત મહાનુભાવતા છે?' એનો રોષ ઓગળી ગયો. “મેં ખોટું આચરણ કર્યું. આ તો દેવોથી અને દેવેન્દ્રોથી પૂજિત છે. રાજામહારાજાઓ આનાં ચરણે નમે છે. અને પેલો દેવ તો મને મારી જ નાખત... પરંતુ આ મહાત્માએ મને અભયદાન આપ્યું. મને બચાવી લીધો. અને પેલા સાધુ પણ ઊભાં હતાં. તે મને સારી રીતે ઓળખે છે. રાત્રે તેમણે જ મારા હાથમાંથી છરી ઝૂંટવી લીધી હતી અને લાત મારી કાઢી મૂક્યો હતો.. છતાં અહીં તેમણે મને હાથ પણ અડાડવો નથી... પરંતુ સહુથી વધારે તો આ મહર્ષિ, કે જેમને મેં જીવતા સળગાવ્યાં હતાં, તે મહાત્માએ મારા પર કેવી કરુણા કરી? જરાય રોષ નહીં કે રીસ નહીં. નહીંતર પેલો વેલંધરદેવ મને પળવારમાં સળગાવી દેત, મારી નાખત. અરે, રાજા પણ મને છોડે? છેવટે કારાવાસમાં નાખી દે... પરંતુ હું બચી ગયો... તે આ મહાપુરુષના જ પ્રભાવે..' ગિરિષણના આત્મામાં “ગુણ-પક્ષપાત રૂપ કુશળ બીજ પડી ગયું. એ ત્યાંથી માથું નીચું કરી, નિસાસા નાખતો, ચાલ્યો ગયો. મહાત્મા સમરાદિત્ય બોલ્યા: “બિચારો.. અનંત પાપકર્મ બાંધીને ચાલ્યો ગયો.' વેલંધરે પૂછ્યું: ભગવંત, આ મરીને ક્યાં જશે?' નરકમાં... અનંત સંસાર ભટકશે. ઘોર દુઃખ પામશે.' પર ભાગ-૩ + ભવ નવમો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491