________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવળજ્ઞાની મહાત્મા સમરાદિત્યે ધર્મદેશનાનો પ્રારંભ કર્યો:
હે મહાનુભાવો, જેવી રીતે સોનાનો અને માટીનો અનાદિ સંબંધ હોય છે, તેવી રીતે જીવ અને કર્મનો પણ અનાદિ સંબંધ છે. એ કર્મોના જ કારણે જીવમાં વિચિત્ર વિકારો જન્મે છે. જીવ ૮૪ લાખ યોનિમાં જન્મે છે અને મારે છે. આધિ-વ્યાધિઉપાધિ ભોગવે છે. અશુભ વેદનાઓ ભોગવે છે.
આ મનુષ્યજીવનમાં અનિષ્ટના સંયોગથી અને ઇષ્ટના વિયોગથી જીવ દુભાયા કરે છે. મહામોહથી મૂઢ બની, હેરાન થાય છે. મોહના ઉદયમાં વર્તતો જીવાત્મા, પોતાના હિત-અહિતને જાણતા નથી. મારા માટે શું હિતકારી છે, શું અહિતકારી છે' - તેની એને ગતાગમ પડતી નથી. અહિતકારીને તે હિતકારી સમજે છે, હિતકારીને અહિતકારી માને છે. હિતકારીનો ત્યાગ કરે છે, અહિતકારીનો સ્વીકાર કરે છે. પરિણામે જીવાત્મા મહાઆપત્તિમાં ફસાય છે.
આ માટે સર્વપ્રથમ મૂઢતાનો ત્યાગ કરો. ક વિધિપૂર્વક દાન આપો.
સર્વ જીવો સાથે મૈત્રીભાવ ધારણ કરો. જ કોઈ જીવને કષ્ટ ન આપો. છે શીલવ્રતનું પાલન કરો. જ તપશ્ચર્યા-યોગનો અભ્યાસ કરો.
શુભ ભાવનાઓ ભાવો. આ દુરાગ્રહનો ત્યાગ કરો. છે શુભ ધ્યાન કરો. આ કર્મના બંધનો તોડો. છે. આ રીતે કર્મબંધનો તોડી, આત્માને પરમ વિશુદ્ધ કરો.
એક વાર આત્મા પરમ વિશુદ્ધ બની જાય, પછી એને પુનઃકર્મ લાગી શકતાં નથી. આત્મામાં કર્મબંધના હેતુઓ જ રહેતા નથી, પછી કર્મબંધ કેવી રીતે થાય?
દેવાનુપ્રિયો, કર્મોથી મુક્ત થયા પછી તમે શાશ્વત પરમ સુખ પામશો. માટે તમે ગુણોને સિદ્ધ કરવા પુરુષાર્થ કરો.”
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪૫૩
For Private And Personal Use Only