________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેવી રીતે ચિંતામણિ રત્ન, મંત્ર કે અગ્નિ, એમની ઉપાસના કરવાથી રાગી થતાં નથી, તુષ્ટમાન થતાં નથી... પ્રસન્ન થતાં નથી, પરંતુ એ ઉત્તમ દ્રવ્યો જ એવાં પ્રભાવશાળી છે કે એમની ઉપાસના કરવાથી ઇષ્ટફળની પ્રાપ્તિ થાય છે. એ ફળપ્રાપ્તિ “વ્યવહારનયથી વીતરાગથી જ થઈ, એમ કહી શકાય, માની શકાય.”
હે ભગવંત, આજે આ જિજ્ઞાસા શાંત થઈ. મારું ચિત્ત નિઃશંક બન્યુંઆપે મારા પર મોટી કૃપા કરી....... બ્રાહ્મણ અગ્નિભૂતિએ, બે હાથની અંજલિ અને મસ્તક જમીન પર ટેકવીને, વંદના કરી.
અગ્નિભૂતિ ચાલ્યો ગયો. સૂર્યાસ્ત થવાની તૈયારી હતી. સર્વે મુનિવરો પોતપોતાની ધર્મક્રિયાઓમાં પ્રવૃત્ત થયા.
૦ ૦ ૦. જ્ઞાન-ધ્યાનમાં પસાર થતા, દિવસ અને રાતેં ટૂંકી લાગે છે. એમાંય વાત્સલ્યવંત જ્ઞાની પુરુષોના સાન્નિધ્યમાં દિવસો ક્ષણ જેવડા અને મહિના દિવસો જેવડા તથા વર્ષ સપ્તાહ જેવડાં લાગે છે. નૃત્ય કરતા દિવસો, ગાતી રાતો અને સુખદ સાધના સાથે ઊગતાં સવાર-સાંજ જાણે ઊગ્યાં જ ન હોય એમ આથમી જતાં હોય છે!
રાત્રિનો પ્રથમ પ્રહર અડધો પસાર થયો હતો. સાધુઓ પ્રતિક્રમણ-સ્વાધ્યાય કરીને, ગુરુસેવા માટે, મહાત્મા સમરાદિત્યને વીંટળાઈને બેઠાં હતાં.
મુખ્ય શિષ્ય શ્રમણ મોહજિતે કહ્યું: “ભગવંત, અહીં શાન્તિ છે, નિરવતા છે, કુદરત પ્રફુલ્લ છે. અમને કોઈ તત્ત્વબોધ આપો, જ્ઞાનપ્રકાશથી અમારા હૃદય આલોકિત કરો...”
મહાત્મા સમરાદિત્યનો મધુર-ગંભીર ધ્વનિ પ્રગટ્યો: “હે શ્રમણો, તમારી જિજ્ઞાસા પ્રશસ્ત છે. અત્યારે હું તમને ‘ચરણસપ્તતિ' સમજાવીશ, કે જે આપણું જીવન છે. જે આપણી આરાધના છે. જે આપણાં કર્તવ્યો છે. અપ્રમત્ત બનીને સાંભળજો..”
સર્વે શ્રમણો અપ્રમત્તભાવે બેસી ગયાં સ્વચ્છ આકાશમાં ચંદ્ર પ્રકાશી રહ્યો હતો. ‘શક્રાવતાર' ચૈત્ય ચંદ્રની ચાંદનીમાં સવાંગીણ સ્નાન કરી રહ્યું હતું. મહાત્મા સમરાદિત્યનો ધ્વનિ ગુંજ્યો:
ચરણ-સપ્તતિ' એટલે ચારિત્રની ૭ વાતો! હું સંક્ષેપમાં તમને એ ૭૦ વાતો અત્યારે કહીશ.
૫ વ્રત, ૧૦ શ્રમણધર્મ, ૧૭ પ્રકારનો સંયમ, ૧૦ પ્રકારની વૈયાવચ્ચ, ૯ શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૭
For Private And Personal Use Only