Book Title: Samaraditya Mahakatha Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 434
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રદ્ધા, તેને દર્શન કહેવાય છે. “આ તત્ત્વો આ જ રૂપે છે.' એવી શ્રદ્ધા જોઈએ. જ્ઞાન-શ્રદ્ધાપૂર્વક સર્વ પાપપ્રવૃત્તિઓનો ત્યાગ, તેને ચારિત્ર કહેવાય છે. ચારિત્ર બે પ્રકારે હોય છે, દેશચારિત્ર અને સર્વચારિત્ર. હે શ્રમણો, હવે તમને બાર પ્રકારનો તપ બતાવું છું. છ પ્રકારનો બાહ્ય તપ છે: અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા, આ બાહ્ય તપ પ્રાયશ્ચિત્ત, ધ્યાન, સ્વાધ્યાય, વિનય, વૈયાવચ્ચ અને કાયોત્સર્ગ - આ અત્યંતર તપ છે. આ બંને પ્રકારના તપનો આદર કરવો જોઈએ. હે મુનિવરો, હવે છેલ્લે તમને ચાર કષાયનો ત્યાગ કરવાની વાત કરી, અત્યારે ધર્મચર્ચા બંધ કરીશ. જેનાથી જીવને સંસારમાં ભટકવું પડે છે, જન્મ-મરણ કરવાં પડે છે, તે “કષાય' કહેવાય છે. મુખ્ય ચાર કષાયો છે - ક્રોધ, માન, માયા અને લોભ. આ ચારે કષાયો પર વિજય મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. આ કષાયોની સાથે સાથે નવ નોકષાયોનો પણ નિરોધ કરવો જોઈએ. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ – આ નવ નોકષાયો છે. હે શ્રમણો, આ રીતે તમને “ચરણ સપ્તતિની ૭ વાતો સમજાવી. આ વાતો જીવનમાં જીવવાની છે. જે શ્રમણ આ પ્રમાણે શ્રમણજીવન જીવે છે તે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બને છે. પરમ સુખ અને પરમાનંદ પામે છે.” શ્રમણ મોહજિતે કહ્યું: “હે ભગવંત, આપે અમારા પર પરમ અનુગ્રહ કર્યો. અમને જ્ઞાનનો પ્રકાશ આપ્યો. સંયમજીવનની આરાધનામાં ઉત્સાહ વધાર્યો. અમારો પ્રમાદ દૂર કર્યો.' સહુ મુનિવરોએ વંદના કરી અને પોતપોતાના સ્થાને ગયાં. ૧૪૨૪ ભાગ-૩ જ ભવ નવમો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491