________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપ નૃત્યાંગના ચિંતામણિ ને?' અશોકમુનિએ પૂછ્યું. ‘મુનિવર, આપનું અનુમાન સાચું છે.' નયના બોલી. તે બંને સ્ત્રીઓ ત્યાં જ ઊભી રહી.
અશોકમુનિ ગુફાના દ્વારે જઈને બેસી ગયા. તેમના મનમાં આગલા દિવસનો રાજસભાનો પ્રસંગ તાદશ થયો. તન્મય બનીને ઉપદેશ સાંભળતી ચિંતામણિનું ગંભીર મુખ તેમણે જોયું હતું. પરંતુ તેમણે તરત જ વિચારોને બીજી દિશામાં વાળી લીધા. ગુફામાં પરમશાન્તિ હતી. ઉદ્યાનમાં પણ શાન્તિ હતી. ગુફાઓમાંથી નીકળીને હિરણો અને સસલાં વગેરે શાન્ત અને ભોળાં પશુઓ ઉદ્યાનમાં યત્ર-તત્ર ફરતાં હતાં. પરંતુ અવાજ નહોતાં કરતાં.. બે સ્ત્રીઓ પણ વૃક્ષ નીચે મૌન ઊભી હતી.
૦ ૦ 0 બીજો પ્રહર પૂર્ણ થયો. મહર્ષિ સમરાદિત્યનું ધ્યાન પૂર્ણ થયું. તેઓ ગુફાના દ્વારે આવ્યાં, અશોકમુનિ ઊભા થયાં. સહર્ષ અધેળ વવાનિ' બોલીને સ્વાગત કર્યું.
આજે ધ્યાન ઘણું સારું થયું.”
આપને સદેવ ધ્યાન સારું જ થાય છે, ગુરુદેવ. અશોકમુનિ બોલ્યા. મહર્ષિના મુખ પર નિર્દોષ સ્મિત રમી રહ્યું.” ‘હવે આપણે નગરમાં જઈશું?”
ગુરુદેવ, નગરમાંથી બે સ્ત્રીઓ આપનાં દર્શન કરવા, અહીં સુધી આવી છે... આપ અહીં આ પથ્થર શીલા પર બિરાજો, તેઓ અહીં આવીને વંદન કરી જશે... એમને કંઈ પૂછવું હશે... માટે અહીં સુધી આવી લાગે છે.”
મહર્ષિ પથ્થરની શિલા પર બેઠાં. અશક મુનિએ પેલી બે સ્ત્રીઓ તરફ જોઈને કહ્યું, “આવી શકશો.'
એ બંને સ્ત્રીઓ ઝડપથી ગુફાના દ્વાર પાસે આવી. મસ્તકે અંજલિ રચી, મસ્તક નમાવી વંદના કરી. ત્યાર પછી બે હાથ, બે ઢીંચણ અને મસ્તક જમીન પર લગાડી પંચાંગ પ્રણામ કર્યા. “હે ભગવંત, જો આપની આજ્ઞા હોય તો એકાદ ઘટિકા અહીં બેસીએ...”
બેસી શકો છો, સૌમ્ય, અને જે જિજ્ઞાસા હોય તે પૂછી શકો છો.' “હે ભગવંત, કંઈ જ પૂછવું નથી. સાંભળવું છે. ઉપદેશનું અમૃત પીવું છે. બસ.. આ એક જ ઇચ્છા રહી છે. નિરંતર આપની કૃપાનીતરતી દૃષ્ટિ જોયા કરું અને સમતાવરસતી વાણીનું પાન કર્યા કરું.. હે પ્રભો, કૃપા કરો. મુજ પાપીનો ઉદ્ધાર કરો.”
ચિંતામણિ,' શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪3
For Private And Personal Use Only