________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માયાજાળ જ છે... હું મૂઢ બનીને, એ જાળમાં ફસાઈ ગઈ છું. પ્રભો, આપે જ મારી જાળ છેદવી પડશે... આપે જ મને મુક્ત ગગની પંખિણી બનાવવી પડશે... હવે મારે ઇન્દ્રજાળમાં બંધાયેલી નથી રહેવું... આપે કહ્યું ને
‘આશ્ચર્ય તો જુઓ, સ્થાવર જંગમ જગતનું સદૈવ ભક્ષણ કરતો, મહાકાળ ક્યારેય તૃપ્ત થયો નથી. આપણે એ કાળના હાથે ચઢેલા છીએ... આપણે એ કાળથી છૂટી શકવાના નથી... એક દિવસ એ આપણો પણ કોળિયો કરી જશે... માટે હજું જ્યાં સુધી જીવન છે, ત્યાં સુધી એક નિત્ય અને ચિદાનંદમય આત્મસ્વરૂપને ઓળખી, આત્મસુખનો અનુભવ કરી લેવો જોઈએ...’
‘હે પ્રભો! આત્મસુખનો અનુભવ આપે જ કરાવવો પડશે... એ માટે ચિદાનંદમય આત્મસ્વરૂપની ઓળખાણ પણ આપે જ કરાવવી પડશે, ભગવંત, હવે હું આપના જ સાન્નિધ્યમાં આવીશ.'
પાછલી રાતે બે ઘટિકા એણે નિદ્રા લીધી. ચંદનકાષ્ઠનો પલંગ હતો. રેશમી ઉત્તરીય અને કટિબંધ એણે ધારણ કર્યાં હતાં, લાલ અતલસના ઓશીકા ૫૨ એણે માથું મૂક્યું હતું. પગનાં તળિયાં પાસે નાનો મખમલી તકિયો પડ્યો હતો...
તે ઊઠી... પરંતુ તેના શરીરમાં સ્ફૂર્તિ ન હતી. ઊઠતાંની સાથે તેનું આત્મમંથન ચાલુ થઈ ગયું: 'ચિંતા, શું તેં તારણ કાઢ્યું કે આખરે આ બધું છાર પર લીંપણ તો થતું નથી ને...? હવે તું પ્રભુને શોધ... ક્યાં શોધવા જવું? પ્રભુ મારા દ્વારે જ આવીને ઊભા છે... એ જ સમરાદિત્ય મારા પ્રભુ છે.’
તે ઊભી થઈ. સ્નાનગૃહમાં ગઈ. ઝટપટ પ્રાભાતિક કાર્યો પતાવી, તેણે સાજનસિંહને બૂમ પાડી.
‘સાજનસિંહ, મારો રથ તૈયાર કરો. અને રથ તમારે ચલાવવાનો છે.'
‘જી, દેવીજી,’ સાજનસિંહ પ્રણામ કરીને ગયો. ચિંતામણિએ શ્વેત રેશમી વસ્ત્રો ધારણ કર્યાં. સ્ફટિકમાં કંડારેલી યક્ષકન્યા જેવી એ દેખાવા લાગી. તેણે પોતાની અંગત સખી નયનાને સાથે લીધી. મહાલયમાંથી તે બહાર નીકળી, નયનાએ ટકોર કરી: ‘દેવી, આજે તેં શૃંગાર નથી કર્યો? આભૂષણો નથી પહેર્યાં? ક્યાં જવાનું છે?’
'તું મૌન રહે. તને બધું સમજાશે.’
‘સાજનસિંહ, રથને ઉપાશ્રયે લઈ લો...’ નયના તરત સમજી ગઈ... બોલી ઊઠી : ‘એમ કહેને કે ગુરુદેવનાં દર્શને જવાનું છે.' ચિંતામણિના મુખ પર સ્મિત રમી
ગયું.
૨૫ ધારાના રાજમાર્ગ પર દોડતો રહ્યો... ઉપાશ્રયના દ્વાર પર જઈને ઊભો રહ્યો. નયના રથમાંથી ઊતરીને ઉપાશ્રયના, દ્વાર પાસે ઊભી રહી... દ્વાર પાસે એક
શ્રી સમરાદિત્ય મહા થા
For Private And Personal Use Only
૧૪૩૩