SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રદ્ધા, તેને દર્શન કહેવાય છે. “આ તત્ત્વો આ જ રૂપે છે.' એવી શ્રદ્ધા જોઈએ. જ્ઞાન-શ્રદ્ધાપૂર્વક સર્વ પાપપ્રવૃત્તિઓનો ત્યાગ, તેને ચારિત્ર કહેવાય છે. ચારિત્ર બે પ્રકારે હોય છે, દેશચારિત્ર અને સર્વચારિત્ર. હે શ્રમણો, હવે તમને બાર પ્રકારનો તપ બતાવું છું. છ પ્રકારનો બાહ્ય તપ છે: અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા, આ બાહ્ય તપ પ્રાયશ્ચિત્ત, ધ્યાન, સ્વાધ્યાય, વિનય, વૈયાવચ્ચ અને કાયોત્સર્ગ - આ અત્યંતર તપ છે. આ બંને પ્રકારના તપનો આદર કરવો જોઈએ. હે મુનિવરો, હવે છેલ્લે તમને ચાર કષાયનો ત્યાગ કરવાની વાત કરી, અત્યારે ધર્મચર્ચા બંધ કરીશ. જેનાથી જીવને સંસારમાં ભટકવું પડે છે, જન્મ-મરણ કરવાં પડે છે, તે “કષાય' કહેવાય છે. મુખ્ય ચાર કષાયો છે - ક્રોધ, માન, માયા અને લોભ. આ ચારે કષાયો પર વિજય મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. આ કષાયોની સાથે સાથે નવ નોકષાયોનો પણ નિરોધ કરવો જોઈએ. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ – આ નવ નોકષાયો છે. હે શ્રમણો, આ રીતે તમને “ચરણ સપ્તતિની ૭ વાતો સમજાવી. આ વાતો જીવનમાં જીવવાની છે. જે શ્રમણ આ પ્રમાણે શ્રમણજીવન જીવે છે તે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બને છે. પરમ સુખ અને પરમાનંદ પામે છે.” શ્રમણ મોહજિતે કહ્યું: “હે ભગવંત, આપે અમારા પર પરમ અનુગ્રહ કર્યો. અમને જ્ઞાનનો પ્રકાશ આપ્યો. સંયમજીવનની આરાધનામાં ઉત્સાહ વધાર્યો. અમારો પ્રમાદ દૂર કર્યો.' સહુ મુનિવરોએ વંદના કરી અને પોતપોતાના સ્થાને ગયાં. ૧૪૨૪ ભાગ-૩ જ ભવ નવમો For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy