________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તો ત્રણને સજા કરો... ત્રણને ક્ષમા આપો.' એ શક્ય નથી.” તો બે પુત્રોને.” શક્ય નથી.”
મહારાજા, તો મારા એક પુત્રને તો ક્ષમા આપો.. મારો વંશ તો રાખો. મને નિર્વશ ના કરો... નહીંતર છ પુત્રોની સાથે હું પણ આપઘાત કરીને મરીશ.'
“ભલે, હું તમારા સૌથી મોટા પુત્રને ક્ષમા આપી દઉં છું. મોટા પુત્રને રાજાએ મુક્ત કર્યો. બાકીના પાંચ પુત્રોનો વધ કરાવી દીધો. વાચકશ્રી સમરાદિત્યે ધન-ઋદ્ધિ શ્રાવકને કહ્યું:
હે મહાનુભાવ, ધનશ્રેષ્ઠિને છયે પુત્રો પર સમાન પ્રેમ હતો, રાજાએ, શેઠની વિનંતીથી એક પુત્રને ક્ષમા આપી, એનો અર્થ એમ થયો ખરો કે શેઠે પાંચ પુત્રોને મારી નાખવાની અનુમતિ આપી?
ઘન-ઋદ્ધિ શ્રાવકે કહ્યું: “એમ તો ના કહેવાય, ગુરુદેવ.” હે મહાશાવક, હવે હું તને આ કથાનો ઉપનય બતાવું છું – કે રાજા એટલે શ્રાવક, આ છ શ્રેષ્ઠિપુત્રો એટલે ષજીવનિકાયના જીવો.
શ્રેષ્ઠી એટલે સાધુ. પજીવનિકાયના જીવોને બચાવવાની સાધુની વાત શ્રાવક ન જ માને તો, જેટલું માને તેટલું મનાવી લેવા, સાધુ ઉપદેશ આપે. છેવટે અણુવ્રતરૂપ એક પુત્રને બચાવી લેવાની વાત પણ સાધુ માની લે છે.”
ધનઋદ્ધિ શ્રાવકે કહ્યું: “ભગવંત, હવે વાત સમજાઈ ગઈ.. પરંતુ અણુવ્રત આપવામાં અવિધિ કોને કહેવાય?”
મહાનુભાવ, સાધુધર્મનો ઉપદેશ આપ્યા વિના, સીધો જ અણુવ્રતોનો ઉપદેશ આપવો, એ અવિધિ કહેવાય...” “યથાર્થ છે આપની વાત... આપે મારી જિજ્ઞાસાનું સમાધાન કરવાની મહાન
કૃપા કરી.
ધનઋદ્ધિ શ્રાવકે શ્રી સમરાદિત્યને વંદના કરી, અને તેઓ પોતાના સ્થાને ગયો.
આ ધર્મકથામાં અયોધ્યાનો પ્રસિદ્ધ સાર્થવાહ અશોકચંદ્ર પણ આવીને બેઠો હતો. ધનઋદ્ધિના ગયા પછી અશોકચંદ્ર ઉપાધ્યાયશ્રી સમરાદિત્યને વંદન કરી, વિનયથી
પૂછ્યું.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪૭
For Private And Personal Use Only