________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧GHT
સૂર્યોદય થઈ ગયો હતો.
શક્રાવતાર ચૈત્યની ચારે બાજુના ઉદ્યાનમાં બપૈયા, કોયલો અને બુલબુલ ટહુકવા લાગ્યાં હતાં, શ્રમણોના સ્વાધ્યાયના મૃદુ સ્વરો, હવાની લહેરી સાથે વહેતાં હતાં.
પ્રભુપૂજનનાં સુંદર વસ્ત્રો પહેરીને, પોતાના પરિવાર સાથે અયોધ્યાનો નવો શ્રાવક ધન-ઋદ્ધિ શાવતાર ચૈત્યમાં પ્રવેશ્યો. એણે ભગવાન ઋષભદેવની ભાવપૂર્વક પૂજા કરી. ત્યાર બાદ વાચકથી સમરાદિત્યનાં દર્શન-વંદન કરી, તેઓની સુખશાતા પૂછી, યોગ્ય સ્થાને બેઠો. ગુરુદેવે તેને “ઘર્મન્નામ' નો આશીર્વાદ આપ્યો.
ભગવન, એક જિજ્ઞાસા ચિત્તમાં પેદા થઈ છે. આજ્ઞા હોય તો પ્રગટ કરું.” “મહાનુભાવ, પૂછી શકો છો.' 'ભગવન, સાધુ-સાધ્વી સાવદ્ય-પાપોની વિરતિ, કરણ કરાવા અને અનુમોદન - આ ત્રણ પ્રકારે કરે છે, તેઓનો વિરતિધર્મ ત્રિવિધ-ત્રિવિધે હોય છે. હવે તેઓ શ્રાવકોને પાંચ અણુવ્રતો આપે તો તેઓને, શ્રાવક જે પાપોનો ત્યાગ નથી કરતો, તેમાં અનુમતિનો દોષ લાગે કે નહીં? કારણ કે અણુવ્રતોમાં તો શ્રાવક થોડાંક પાપોનો જ ત્યાગ કરતો હોય છે.”
મહાનુભાવ,” વાચકશ્રેષ્ઠ સમરાદિત્યે, ઘનઋદ્ધિ શ્રાવકના પ્રશ્નનો ઉત્તર આપવો શરૂ કર્યો.
જો સાધુ શ્રાવકને અવિધિથી અણુવ્રતો આપે, તો તારા કહ્યા મુજબ, તેને અનુમતિનો દોષ લાગે. પરંતુ જો સાધુ વિધિપૂર્વક, શ્રાવકને અણુવ્રતો આપે તો સાધુને અનુમતિનો દોષ નથી લાગતો.' શ્રેષ્ઠીએ પૂછ્યું: “ગુરુદેવ, વ્રતપ્રદાનમાં વિધિ શો હોય?”
ગુરુદેવે કહ્યું: “હે સૌમ્ય, સાધુની પાસે સુયોગ્ય આત્માઓ આવે ત્યારે સાધુ સર્વપ્રથમ અને સંસાર-વૈરાગ્યનો ઉપદેશ આપે, તેને દુઃખમય સંસારનું સ્વરૂપ સમજાવે.
આ ગૃહવાસ દુઃખરૂપ છે, દુઃખફલક છે.. દુઃખાનુબંધી છે.” એનો ધારદાર ઉપદેશ આપે. ત્યારબાદ દુઃખમય સંસારથી મુક્તિ અપાવનારા શ્રમણધર્મનો ઉપદેશ આપે. સાધુધર્મથી જ સંસારરોગનો અંત આવી શકે છે,’ આ સત્ય સારી રીતે સમજાવે. આ જીવલોકમાં વિના વિલંબે મોક્ષ સાધી આપનાર હોય તો આ સાધુધર્મ જ છે.” આ વાત, શ્રાવકના હૃદય સુધી પહોંચાડવા પ્રયત્ન કરે.. કે જેથી
શ્રાવકના હૃદયમાં શુદ્ધ ભાવ ઉત્પન્ન થાય. જ શ્રાવકના હૃદયમાં સંવેગ-વૈરાગ્ય ઉત્પન્ન થાય. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪૨૩
For Private And Personal Use Only