________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
• અસંખ્ય વર્ષ સુધી દેવલોકમાં રહે છે.
* ત્યાંથી ચ્યવન પામીને, સારા ક્ષેત્રમાં ને સારા કુળમાં જન્મ પામે છે. * સુંદર રૂપ, નીરોગી કાયા, વિશિષ્ટ વૈભવ, વિચક્ષણ બુદ્ધિ. સદ્ધર્મની પ્રાપ્તિ આ બધું મેળવીને, છેવટે મુક્તિ પામે છે.’
'ભગવંત, ગઈકાલે ધર્મકથામાં આપ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ - આ ચાર ભાવનાઓનું સ્વરૂપ સમજાવ્યું હતું. એ ચાર ભાવનાઓ કોઈ પણ જીવ ભાવી શકે કે યોગ્યતાસંપન્ન મનુષ્ય જ ભાવી શકે? તો એ કેવા પ્રકારની યોગ્યતા જોઈએ?' ‘અગ્નિભૂતિ, મૈત્રી વગેરે ચાર ભાવનાઓ, યોગ્યતાસંપન્ન મનુષ્ય જ ભાવી શકે: विवेकिनो विशेषेण भवत्येवार्थागमम् ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तथा गंभीरचित्तस्य सम्यग् मार्गानुसारिणः ।।
૧. મૈત્ર્યાદિ ભાવનાઓ ભાવનાર મનુષ્ય વિવેકી જોઈએ. કોઈ પણ વાતના પરમાર્થને જાણનાર જોઈએ. વળી, વિવેકી મનુષ્યનું ચિત્ત આ ચાર ભાવનાઓની બહાર જતું જ નથી હોતું.
૨. આ ચાર ભાવનાઓ, જ્ઞાનીપુરુષ જિનવચનના અનુસારે ભાવતો હોવો જોઈએ. ભાવનાઓનો જે ક્રમ બતાવેલો છે, એ ક્રમ મુજબ, એ ભાવનાઓ ભાવે.
૩. આ ચાર ભાવનાઓ ભાવનાર મહાનુભાવ ગંભીર ચિત્તવાળો જોઈએ. એટલે કે હર્ષ-વિષાદના વિકારોથી મુક્ત મનવાળો જોઈએ. અર્થાત્ એના હર્ષ-વિષાદના વિકારો ઘણા ઓછા થઈ ગયેલા હોય.
શ્રી સમરાદિત્ય મહાકથા
૪. આ ભાવનાઓ એ મહાત્મા ભાવી શકે જે શુદ્ધ નિવૃત્તિમાર્ગ પર રહેલો હોય. ભલે એ ચોથા-પાંચમાં કે છઠ્ઠા ગુણસ્થાનકે રહેલો હોય.
આ ચાર પ્રકારની યોગ્યતા, હે અગ્નિભૂતિ, હોવી જોઈએ.
For Private And Personal Use Only
૧૪૧૫