________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
** સર્વ દોષોથી મુક્ત છે. * પૂર્ણ જ્ઞાની છે.
* દેવ-દાનવ અને માનવોથી પૂજિત છે.
* મોક્ષમાર્ગના પ્રકાશક અને પ્રરૂપક છે.
♦ સર્વ જીવો પ્રત્યે હિતબુદ્ધિ રાખનારા છે.
* અચિંત્ય શક્તિના ધારક છે.
અચિંત્ય પ્રભાવવાળા છે.
• જેઓ જન્મ-મૃત્યુથી મુક્ત થયેલા છે.
• જેઓ કૃતકૃત્ય છે... જેમને સાધવાનું કંઈ બાકી નથી, તેઓ વિશિષ્ટ દેવ છે, દેવાધિદેવ છે. પરમાત્મા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* જેમની વાણી, દરેક જીવો પોતપોતાની ભાષામાં સમજે છે.
* જેઓ જ્યાં જ્યાં વિચરે, એ ભૂમિ પ્રદેશમાં રોગ-ઉપદ્રવ દૂર થઈ જાય છે.
* જેમના સાન્નિધ્ય માત્રથી જીવોની ક્રૂરતા, વૈરભાવ દૂર થઈ જાય છે. * હે અગ્નિભૂતિ, આ વિશિષ્ટ દેવનું સ્વરૂપ છે. હવે તને આ દેવની ઉપાસનાવિધિ બતાવું છું.
* આવા દેવની ઉપાસના, તન-મન-ધનની શક્તિ મુજબ કરવી જોઈએ.
* કોઈ પણ ફળની આશા રાખ્યા વિના, ઉપાસના કરવી જોઈએ.
* અત્યંત વિશુદ્ધ ચિત્તથી, ઉપાસના કરવી જોઈએ.
* ઉચિત ક્રમથી, ઉપાસના કરવી જોઈએ.
* કોઈ પણ અતિચાર-દોષ ના લાગે એ રીતે ઉપાસના કરવી જોઈએ.
* એ દેવાધિદેવની આજ્ઞા અનુસાર,
* ધર્મનું અનુષ્ઠાન કરવું. * દાન દેવું.
* વિરતિધર્મનું પાલન કરવું.
* વિવિધ તપશ્ચર્યાઓ કરવી.
* શુદ્ધ ને શુભ ભાવનાઓ ભાવવી.
હે અગ્નિભૂતિ, આ બધી દેવાધિદેવની ઉપાસના છે. હવે એનું ફળ બતાવું છું -
* દેવાધિદેવની સુંદર ઉપાસના કરનાર મહાનુભાવ -
* પરલોકમાં દેવોનાં દિવ્ય સુખો પામે છે.
* અપ્સરાઓના દિવ્ય કામ-ભોગ પામે છે.
* દેવલોકનાં દિવ્ય મહાવિમાનો પ્રાપ્ત કરે છે.
१४१४
For Private And Personal Use Only
ભાગ-૩ * ભવ નવમો