________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેનકુમાર યાદ આવ્યો. પરંતુ ‘એ તો આજે પલ્લીમાં ગયા છે. એમને સમાચાર આપવા પડશે.' મારતે ઘોડે એક સંદેશવાહકને પલ્લીમાં રવાના ફર્યો, પલ્લીમાં પહોંચીને કુમારને, સંદેશવાહકે મહામંત્રીનો સંદેશો આપ્યો: ‘હે રાજકુમાર, આપ જલદી નગરમાં પધારો. જાણે કે યમરાજ મહારાજાને લેવા માટે આવ્યો હોય, તેવી ઘોર પીડા મહારાજને ઊપડી છે. વૈદ્યો નિરાશ થયા છે. અંતઃપુર રુદન કરે છે અને મંત્રીમંડળ કિંકર્તવ્ય મુઢ બની ગયું છે.'
સાંભળીને કુમાર પણ અસ્વસ્થ થઈ ગયો. શાન્તિમતી તો વાત સાંભળીને તરત જ જવાની તૈયારીઓ કરવા લાગી. પલ્લીપતિએ પણ સંદેશવાહકનો સંદેશો સાંભળ્યો હતો. એણે પોતાનો અશ્રુ તૈયાર કર્યો. કુમારને કહ્યું: ‘દેવ, હું પણ આપની સાથે આવું છું. મહારાજાનો મારા ઉપર પણ મોટો ઉપકાર છે ને!'
સહુ નગરમાં આવવા તૈયાર થયા અને નગર તરફ પ્રયાણ કર્યું,
O
O
રથ રાજમહેલનાં પથિયાં પાસે આવીને ઊભો કે કુમાર છલાંગ લગાવીને નીચે ઊતર્યો. દોડતો તે મહારાજાના શયનખંડમાં પહોંચ્યો, તેણે મહારાજાને જોયા. કુમાર પહેલી ક્ષણે જ બાવરો થઈ ગયો. ‘શું થઈ ગયું મહારાજાને? પ્રજાના તારણહારની આ અવસ્થા? અને હું અહીં હાજર છું! હું મહારાજાને સ્વસ્થ નીરોગી કરી શકતો નથી. મારી કેવા વિવશતા?'
કુમારને તીવ્ર આઘાત લાગ્યો. તે બેહોશ થઈ ગયો. તેને મૂર્છા આવી ગઈ. દાસીઓએ તરત જ એના પર ઠંડું પાણી છાંટવું. પંખાથી હવા નાખી, ધીરે ધીરે તે ભાનમાં આવ્યો.
શાન્તિમતીએ કુમારને આશ્વાસન આપ્યું. ‘હે નાથ, આપના જેવા સત્ત્વશીલ પુરુષો જો નિરાશ થઈ જશે, તો પછી મારા જેવી દુર્બળને કોણ હિંમત આપશે?'
‘દેવી તું જાણે છે મહારાજા પ્રત્યેનો મારો અવિહડ રાગ... મહારાજાને સારું કરવા હું મારા પ્રાણ પણ ન્યોછાવર કરી શકું છું.’
‘નાથ, પ્રાણ ન્યોછાવર કરવાની જરૂર નથી. આપની પાસે જ મહારાજાને નીરોગી બનાવવાનો ઉપાય છે. પરંતુ અતિ દુઃખમાં કે અતિ સુખમાં મનુષ્ય ઘણું ભૂલી જતો હોય છે.'
કર્યો ઉપાય છે દેવી? જલદી બોલો.’
‘પ્રિયમેલક કલ્પવૃક્ષની પૂજાથી પ્રસન્ન થયેલ ક્ષેત્રદેવતાએ આપને ‘આરોગ્યમણિરત્ન' આપેલો છે ને?”
‘હા, હા, ખરેખર તારી વાત સાચી છે. હું તો ભૂલી જ ગયો હતો એ મણિરત્નને.’ તેણે સ્નાન કર્યું. શુદ્ધ વસ્ત્રો પહેર્યાં.
કુમારે મણિરત્નથી સર્વપ્રથમ રાજાના ઉપર આવર્ઝન-ક્રિયા કરી. ત્યાર પછી અ શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૦
For Private And Personal Use Only