________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૭]
આચાર્યશ્રી હરિફેણે કથાને પૂર્ણ કરતાં કહ્યું:
સેનકુમાર, અરુણદેવ, દેવિની અને કટક ચોર, આયુષ્ય પૂર્ણ કરીને, દેવલોકમાં ઉત્પન્ન થયાં.”
“હે કુમાર, તેં અસાર રાજ્ય મેળવવા માટે વ્યર્થ યુદ્ધ કર્યું.”
“ભગવંત, મારા કુળનો પરાભવ થવાથી મને ક્રોધ આવ્યો હતો અને એ ક્રોધથી પ્રેરાઈને મેં યુદ્ધ કર્યું. “મેં યુદ્ધ કર્યું તે સારું નથી કર્યું.' એ વાત હવે સમજાઈ. આપની પાસે એની શક્તિનો ઉપાય પણ જાણવા મળ્યો. હે પ્રભો, જો હું ચારિત્રધર્મ માટે યોગ્ય હોઉં તો મારા પર કૃપા કરી અને મને દીક્ષા આપો.”
આચાર્યદેવે કહ્યું: “હે દેવાનુપ્રિય, તેં સુંદર વિચાર કર્યો. ઘણી સારી વાત કરી. આ સંસાર છોડવા યોગ્ય જ છે. દીક્ષા જીવનમાં બે વાતો મુખ્ય જોઈએ છે: “એક વિવેક અને બીજ ગુરુના ગુણો તરફનો પક્ષપાત, આ બંને વાતો તારામાં છે. માટે શુભ કાર્યમાં વિલંબન ન કર. હે વત્સ, જીવન અનિત્ય છે. આયુષ્ય અનિયત છે. મનના મનોરથ મનમાં જ ના રહી જાય તે માટે જાગ્રત રહે.”
આચાર્યદેવને વંદના કરીને, સેનકુમાર પોતાના આવાસમાં ગયો. તેણે ચંપાના મહામાત્ય અમરગુરુને કહ્યું: “હે મહામાત્ય, તમે પણ ગુરુદેવનાં વચન સાંભળ્યાં છે. મારું ચિત્ત દીક્ષા લેવા ઉત્કંઠિત થયું છે, તમે મને અનુમતિ આપો.
મહામાત્ય કુમારને પ્રણામ કર્યા. વિનયથી વિનંતી કરી: “મહારાજ કુમાર, આપ અવશ્ય આપના મનોરથ પૂર્ણ કરો, પરંતુ મારી વિનંતી છે કેઃ
છેવિશ્વપુરથી કુમાર અમરસેન સાથે શાત્તિમતીને બોલાવી લઈએ. કે પછી બાળકુમારનો રાજ્યાભિષેક કરીએ. છે ત્યાર બાદ આપ શાન્તિમતીના ચિત્તનું સમાધાન કરો. છે તે પછી નગરમાં આઠ દિવસનો મહોત્સવું કરીએ.
મહારાજ કુમાર, આપની સાથે હું પણ સંયમધર્મ સ્વીકારવા ચાહું છું. સેનકુમાર મહામંત્રીને ભેટી પડ્યો. બંનેની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં. કુમારે કહ્યું: ‘મહામંત્રી, વિશ્વપુર મારે પોતે જવું પડશે! શાન્તિમતીને લઈ આવું અને
૧૧૪
ભાગ-૩ ૪ ભવ સાતમો
For Private And Personal Use Only