________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનો અનુસાર ઉપદેશ આપે છે. આવા મુનિજનોની આજ્ઞા મુજબ, સર્વ દુઃખોનું નિવારણ, કરનારી સંયમ-ક્રિયાઓ કરવી જોઈએ.
જોકે સંયમજીવનમાં ઉપસર્ગો તથા પરિષહોની પીડા સહવી પડતી હોય છે, છતાં સંયમી આત્માઓ એ ઉપસર્ગ વગેરેની ચિંતા કરતા નથી. “ઉપસર્ગ-પરિષહ સહવાથી મારો કર્મવ્યાધ દૂર થાય છે.” આ સંયમી આત્માનો પાકો નિર્ણય હોય છે. “મારે મહામોહના વ્યાધિથી મુક્ત બની, અંતરાત્મામાં ઉપશમ-રસરૂપ આરોગ્ય પ્રાપ્ત કરવું છે. આ ચારિત્રી આત્માની દૃઢ પ્રતિજ્ઞા હોય છે. માટે તેઓ વૈર્ય ધારણ કરી, બાહ્ય કષ્ટોને સમતાભાવથી સહન કરે છે, પરિણામે તેમને, કે ભાવઆરોગ્યની પ્રાપ્તિ થાય છે.
મોહ-તિમિર નાશ પામે છે. જ સમ્યગુજ્ઞાનનું અજવાળું થાય છે.
મિથ્યા આગ્રહો ચાલ્યાં જાય છે. એ સંતોષામૃત એમના આત્મામાં પરિણમી જાય છે. મિથ્યા ક્રિયાઓ દૂર થઈ જાય છે.
ભવ-વેલ લગભગ તૂટી જાય છે. છે આત્મધ્યાનમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે.
મોક્ષસુખ હાથવેંતમાં હોય છે. હે સુશીલે, આ તો મેં તને આધ્યાત્મિક દૃષ્ટિથી વાત કરી. દુનિયાના લોકોની સુખ-દુઃખની કલ્પનાઓ જુદી હોય છે. એ લોકો -
ભૂખને દુઃખ માને છે, ભોજન મળે તેને સુખ માને છે. તરસને દુઃખ માને છે, પાણીની પ્રાપ્તિને સુખ માને છે. આ નિર્ધનતાને દુઃખ માને છે, ધનપ્રાપ્તિને સુખ માને છે. આ રોગને દુઃખ માને છે, આરોગ્યને સુખ માને છે! . ક પ્રિય વ્યક્તિના વિયોગને દુઃખ માને છે, પ્રિય વ્યક્તિના સંયોગને સુખ માને છે. વાસ્તવમાં, આ બધાં કલ્પિત સુખો હોય છે... ક્ષણિક સુખો હોય છે. વધુ સમય આ સુખો ટકતાં નથી.... થોડાં સુખ હોય છે તો વધારે દુઃખ હોય છે! એટલે ખરું કહું તો આ સંસારમાં કોઈ સુખી છે જ નહીં.
હે વત્સ, “તને શાનું મહાદુઃખ છે, તે જો મને કહેવા યોગ્ય હોય તો કહે.” રત્નાવતીએ કહ્યું: “હે ભગવતી, આપને કહેવામાં મને કોઈ સંકોચ નથી. મને
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૧
For Private And Personal Use Only