________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૮૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાણી પદ્માવતીએ કહ્યું: ‘મહારાજા, એક શુભ સમાચાર છે...' 'કહો, મહાદેવી... પુત્ર અને પુત્રવધુની ચિંતા મને... મારા હૃદયને કોરી ખાય છે...' માટે જ હું અત્યારે આવી છું! પુત્રવધૂ રત્નવતીનો શોક દૂર થયો છે. તે હર્ષિતવદના બની છે... અને કુમાર જીવંત છે, આ વિશ્વાસ દૃઢ થયો છે!'
‘કેવી રીતે?’ મહારાજા મૈત્રીબળમાં હર્ષ પ્રગટો. તેઓ ઊભા થઈ ગયા. રાણી પદ્માવતીની સામે આવીને ઊભા.
‘આપણા નગરમાં પધારેલાં સાધ્વી સુસંગતાની પરમ કૃપાથી! તેઓને રત્નવતી જ માર્ગ પરથી આમંત્રણ આપીને, લઈ આવી હતી... સારી રીતે તેઓએ રત્નવતીને સમજાવી... વળી એ સાધ્વીજી ખરેખર, જેવાં રૂપવતી છે તેવાં જ જ્ઞાની છે અને કરુણાવંત છે. હું રત્નવતીની પાસે જ બેઠી હતી, મને રત્નવતી જ બોલાવી ગઈ હતી એના ખંડમાં! હમણાં સંધ્યા સમયે જ તેઓ તેમના ઉપાશ્રયે ગયાં...
ખરેખર, એમનો નવ જન્મોનો વૃત્તાંત સાંભળતાં તો, મારી આંખો નીતરવા લાગી હતી... મને પણ આ સંસા૨વાસ પ્રત્યે વૈરાગ્ય આવી ગયો હતો... રત્નવતી તો હર્ષવિભોર બની ગઈ હતી... માટે હવે આપ એની ચિંતા ના કરો. અને મારા લાડલાની પણ ચિંતા ના કરો... નિશ્ચિત બનો અને વિજયી બનીને, આવનાર પુત્રના સ્વાગતની તૈયારી કરો!’
તૈયારી બધી થશે દેવી, પહેલાં તમે મને સાધ્વીના એ નવ જન્મોનો વૃત્તાંત સંભળાવશો?'
‘અવશ્ય, આપને સંભળાવ્યા વિના તો મને ચેન જ ના પડે... આમેય બધી વાત આપને કહી જ દઉં છું ને! મેં આપનાથી કંઈ જ છુપાવ્યું નથી...'
‘સાચી વાત છે તમારી, તમને પત્નીરૂપે પામીને હું ખરેખર, મારી જાતને ભાગ્યશાળી માનું છું...' રાણી પદ્માવતીના મુખ પર શરમના શેરડા પડયાં.
રાણીએ સાધ્વીના નવ જન્મોનો વૃત્તાંત રાજાને સંભળાવી દીધો. રાજા મૈત્રીબળ એકધ્યાન બનીને, સાંભળતાં રહ્યાં...
‘અહો, એક નાનકડી ભૂલની આટલી મોટી સજા? કર્મોની કેવી કુટિલતા છે? અજ્ઞાનદશામાં... મોહદશામાં બાંધેલાં કર્મોનો વિપાક કેટલા જન્મ સુધી ભોગવવો પડે છે? દેવી, આ વૃત્તાંત સાંભળતાં મને વિચાર આવ્યો કે આપણું શું થશે? પ્રમાદપરવશ બનીને કેટલાં બધાં પાપ કર્યાં છે? મારું તો કાળજું થથરી ગયું...' ‘અરે, હું તો સાધ્વીજીની સામે જ રડી પડી હતી... વળી તમને એક વાત ભાગ-૩ * ભવ આઠમો
૧૨૫૨
For Private And Personal Use Only