________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણીને મને આનંદ થયો. ઉજ્જૈનમાં જો રાજકુમાર તત્ત્વરસિક છે... તો ત્યાંની પ્રજા કેટલી તત્ત્વરસિક હશે? આચાર્યદેવ બોલ્યા.
ભગવંત, આપે ઉજ્જૈનીને પાવન કરવાની છે, અમારી વિનંતી છે...' કુમારે બે હાથ જોડી, વિનયથી કહ્યું.
‘કુમાર, ક્ષેત્રસ્પર્શના મુજબ આવાગમન થાય છે. ભાવ છે ઉજ્જૈનીની સ્પર્શના કરવાના.' આચાર્યદેવે પ્રત્યુત્તર આપ્યો. ત્રણે મિત્રો આચાર્યદેવની સમક્ષ બેસી ગયાં. આચાર્યદેવે કહ્યું: ‘કુમાર, તારી જે જિજ્ઞાસા હોય તે પૂછી શકે છે...”
ભગવંત, સિદ્ધાન્તમાં જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારનાં જે કર્મ કહેલાં છે, તે કર્મ જીવ કેવી રીતે બાંધે છે? એ મારે જાણવું છે.' આચાર્યદેવે કહ્યું:
હે સૌમ્ય કુમાર, સિદ્ધાન્તમાં કહેવું છે કે - છે જ્ઞાનનો દ્રોહ કરવાથી.
જ્ઞાન-જ્ઞાનીને ઓળવવાથી. છે જ્ઞાનમાં અંતરાય કરવાથી. છે જ્ઞાન-જ્ઞાની પ્રત્યે દ્વેષ કરવાથી. જ્ઞાનની આશાતના કરવાથી. સૂત્રના ખોટા અર્થ કરવાથી. જીવ જ્ઞાનાવરણ કર્મ બાંધે છે. એવી રીતે દર્શનનો દ્રોહ કરવાથી. દર્શનમાં અંતરાય કરવાથી. દર્શન-દર્શનીનો ક્રેપ કરવાથી. દર્શનની આશાતના કરવાથી. જ દર્શનસંબંધી વિરુદ્ધ કથન કરવાથી, જીવ દર્શનાવરણ કર્મ બાંધે છે. * પ્રાણ ભૂત, જીવ અને સત્ત્વની અનુકંપાથી. જ પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વોને દુ:ખ ન દેવાથી.
એ બધા જીવોને શોક ના કરાવવાથી. છે એ બધા જીવોને ખેદ ના કરાવવાથી. છે. એ બધા જીવોને પરિતાપ ના ઉપજાવવાથી. જીવ શાતાવેદનીય કર્મ બાંધે છે.
બીજા જીવોને દુઃખ દેવાથી, શોક કરાવવાથી, ખેદ કરાવવાથી, પરિતાપ ઉપજાવવાથી જીવ અશાતાવંદનીય કર્મ બાંધે છે.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧3ળા,
For Private And Personal Use Only