________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારે સંડાસમાં જવું છે.” શુભંકર ગભરાયો. એ સીધો વિષ્ટાના કૂવામાં ઊતરી ગયો. એટલું વળી એનું ભાગ્ય સમજો કે વિષ્ટાફૂપમાં ઊતરી જવાનું બાકોરું પહોળું હતું. તે ઊતરી પડ્યો કૂવામાં... પુનઃ એ જ વેદના... કે એ જ વિષ્ટામાં ડૂબવાનું સડવાનું અને રિબાવાનું!
દિવસો સુધી એ કુવામાં મૂછિત અવસ્થામાં પડ્યો રહ્યો... પછી જ્યારે કુવાને સાફ કરવા ખોલવામાં આવ્યો ત્યારે તે બહાર નીકળ્યો...
પોતાના ઘરે ગયો.. માતા-પિતાને વાત કરી... વૈદના ઉપચારો થયાં.. વળી ત્રણ મહિને સાર થયો. પિતાએ એને ખૂબ સમજાવ્યો કે “તારે રાણીવાસમાં ના જવું.' પરંતુ સાજો થયો પછી ત્રીજી વાર પણ એ રાણીના આમંત્રણથી એની પાસે ગયો. ત્રીજી વાર પણ એ રાણી સાથે ભોગ-સંભોગ ના કરી શક્યો. પૂર્વવત્ રાજા આવ્યો.. શુભંકર સંડાસમાં છુપાયો, રાજા સંડાસમાં ગયો. શુભંકર કૂવામાં પડ્યો... ત્યાં સડ્યો.. ઘોર વેદના સહી, બહાર નીકળ્યો, ઘરે ગયો... સમરાદિત્યે વાર્તાને પૂર્ણ કરતાં, માનિનીને પૂછ્યું : કહો, રતિરાણીને શુભંકર ઉપર અનુરાગ હતો કે નહીં?'
માનિનીએ કહ્યું: “હે મહારાજકુમાર, પરમાર્થથી વિચારીએ તો અનુરાગ ન હતો. રતિરાણી બુદ્ધિહીન હતી, તે પરિસ્થિતિને સમજતી ન હતી. પોતાના સ્થાનનો વિચાર કરતી ન હતી. પોતાની પરાધીનતાનો કે શુભંકરના ભવિષ્યનો વિચાર કરતી ન હતી...'
કુમારે કહ્યું: “જો એમ જ છે તો આ બે રાજપુત્રીઓનો અનુરાગ પણ સાચો ના કહેવાય.'
કેમ ના કહેવાય? પેલી રતિરાણી તો પરપુરુષ તરફ રાગી બની હતી. આ બે રાજપુત્રીઓ પોતાના પતિ ઉપર અનુરાગી બની છે. પતિ-પત્નીએ પરસ્પર અનુરાગી બનવું જોઈએ, એ તો સંસારનો નિયમ છે.'
“હે સખી, સંસારનો નિયમ હશે. પારમાર્થિક દૃષ્ટિએ પાંચ ઇન્દ્રિયોનાં ભોગસુખો તુચ્છ અને ચંચળ છે. સ્વભાવથી જ અસાર છે. અનેક દોષોના કારણભૂત છે. શું આવાં ભોગસુખોની અભિલાષા કરવી એ બુદ્ધિમત્તા છે? હે સખીઓ, આ મનુષ્યજીવનનું મૂલ્ય સમજો. આ સર્વોત્તમ મનુષ્યજીવન મળ્યું છે. વિરાટ સંસારમાં આ જન્મ દુર્લભ હોય છે. એવા મનુષ્યજીવનને મોક્ષમાર્ગની આરાધનામાં જોડી દેવું જોઈએ.... ધર્મપુરુષાર્થમાં આ જીવનનો વિનિયોગ કરી દેવો જોઈએ. માટે બંને રાજપુત્રીઓને મારે એટલું જ કહેવું છે કે તેઓ પોતાના આત્મસ્વરૂપને વિચારે અને સાથે સાથે અવયંભાવી મૃત્યુનો વિચાર કરે.”
રફ એક ફ
1350
ભાગ-૩ # ભવ નવમો
For Private And Personal Use Only