________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજ કુમારે અને બંને નવવધૂઓએ જીવનપર્યતનું બ્રહ્મચર્ય વ્રત લઈ લીધું - આ સારભૂત વાત છે...”
હું? બ્રહ્મચર્યવ્રત લઈ લીધું? અરે પુત્ર, તેં ભવસુખનો ત્યાગ કરી દીધો?” મહારાણી રૂપસુંદરી રડી પડ્યા....
ત્યાં અચાનક દિવ્ય પ્રકાશ ફેલાય, એક સીમાકૃતિવાળી દેવી પ્રગટ થઈ.
દેવીના એક હાથમાં તેજસ્વી ખગ હતું. માથે મુગટ, કાને કુંડલ અને નાક પર મોતીની સેર હતી. ક કંઠમાં રનહાર હતોછાતી હારલતાથી ઢંકાયેલી હતી. આ બંને બાહુઓ પર મણિજડિત કડાં પહેરેલાં હતાં. કટિપ્રદેશ પર સોનાનો કંદોરો લટકતો હતો.
શરીર પર દેવદુષ્ય ઓઢેલું હતું. * શરીરનાં અંગો પર હરિચંદનનું વિલેપન કરેલું હતું. આ બંને પગમાં મણિજડિત ઝાંઝર પહેરેલાં હતાં.
કંઠે કલ્પવૃક્ષનાં સુગંધિત પુષ્પોની માળા હતી. રાજા-રાણી ક્ષણભર સ્તબ્ધ થઈ ગયાં. બંને ઊભાં થયાં. વિસ્મય.... હર્ષ... ને શોકના મિશ્ર ભાવો સાથે બંનેએ દેવીને પ્રણામ કર્યા. પ્રતિહારી આનંદ ક્યારનો પલાયન થઈ ગયો હતો.
દેવીએ રાજાને કહ્યું: ‘મહારાજા, વિષાદનો ત્યાગ કરો. કુમારે જે કર્યું છે, તે યોગ્ય જ કર્યું છે. કુમારે, છે વિષનો ત્યાગ કરી, અમૃત ગ્રહણ કર્યું છે.
કાયરતા છોડીને, પુરુષત્વ પ્રગટ કર્યું છે. છે સુદ્રતાને તિલાંજલી આપી, ઉદારતા અંગીકાર કરી છે. આ ભવ સાથેનો સંબંધ તોડીને, મુક્તિ સાથે સંબંધ બાંધ્યો છે. હે રાજેશ્વર, કુમાર કૃતાર્થ થયા છે.
હે મહારાણી, તમે પણ શોકનો ત્યાગ કર. કુમાર શોક કરવા યોગ્ય આત્મા નથી. તેમણે ભવ-દુઃખનો ત્યાગ કર્યો છે. શાશ્વત સુખનો માર્ગ અંગીકાર કર્યો છે. હે દેવી, ખરેખર, તમે ધન્ય છો, રત્નકુક્ષી છો. તમે આવા મોક્ષગામી પુત્રને જન્મ આપ્યો છે. તે મહાત્મા બનીને અનેક જીવોને મોક્ષમાર્ગના પથિક બનાવશે. માટે તમે ખેદ-ઉદ્વેગનો ત્યાગ કરો.” શ્રી સમરાદિત્ય મહાકથા
૧383
For Private And Personal Use Only