________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે... એ મહાત્મા જિનધર્મના દેખતાં જ એની પત્ની સાથે વ્યભિચાર કર્યો છે... હું મરી જાઉં છું...' એમ બોલતો ધનદત્ત આપધાત ક૨વા તૈયાર થયો. બંધુલા પણ ગળામાં દોરડાનો પાશ નાખી, મરવા તૈયાર થઈ. દેવે બંનેને આપઘાત કરતાં અટકાવ્યાં.
‘તમે શા માટે આત્મહત્યા કરો છો?’
‘છે દિવ્યપુરુષ, આપ દિવ્યજ્ઞાની છો. આપ શું નથી જાણતા? આપ બધું જ જાણો છો. અમારે મરવું જ યોગ્ય છે... અમે જીવવા લાયક નથી રહ્યાં.’
‘હે મહાનુભાવો, મરવાની વાત છોડી દો. ઉપદેશ-પાલન માટે તત્પર બનો...' ‘હે ભગવંત, અમે ઉપદેશને લાયક નથી રહ્યાં. અમારી ન જોવા જેવી, બીભત્સ કામાસક્ત અવસ્થા જોઈને, તે ઉત્તમ પુરુષ જિનધર્મ, મૃત્યુ પામી ગયા...'
‘એટલે જ હવે તમે ઉપદેશ સાંભળી, જીવનમાં ઉતારવા માટે યોગ્ય બન્યાં છો. તમને જે ઘોર પશ્ચાત્તાપ થઈ રહ્યો છે, તે જ તમારી યોગ્યતા છે. અન્યથા બહુ મોટું ભયંકર પાપ કર્યાં પછી ઘણા જીવોને પસ્તાવો થતો નથી. આ પશ્ચાત્તાપથી તમારું પાપ ધોવાઈ જશે.'
બંધુલા અને ધનદત્ત દેવની હિતકારી અને પ્રિયવાણી સાંભળી, કંઈક સ્વસ્થ બન્યાં. દેવે એ જ સમયે, પોતાનું પૂર્વરૂપ-જિનધર્મનું રૂપ પ્રગટ કરીને કહ્યું:
‘જુઓ, એ જિનધર્મ હું જ છું. મૃત્યુ પામીને હું દેવગતિ પામ્યો છું...' બંધુલા દેવનાં ચરણોમાં ઢળી પડી. ધનદત્ત જિનધર્મને જોઈ, ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. દેવે કરુણાભરી વાણીમાં કહ્યું:
‘કર્મપરિણતિ આવા જ પ્રકારની હોય છે.
* મોહની ચેષ્ટાઓ ભયંકર હોય છે.
* વિષયોની વાટ ખરેખર રૌદ્ર હોય છે.
માટે, તમારાં બંને માટે હવે ધર્મનું જ શરણ લેવું ઉચિત છે. ધર્મ સિવાય બધાનો ત્યાગ કરી દો.’
‘હે ભગવંત, જેવી આપની આજ્ઞા. હવે અમે આપની આજ્ઞાનું પાલન કરીશું, પરંતુ નક્કી અમારે અમારા પ્રાણોનો ત્યાગ કરવાનો જ છે. આ દેહ પાપાચરણના કલંકથી દૂષિત તો બન્યો જ છે. હવે આ પાપી દેહને એક ક્ષણ અમે ધારણ કરી શકતાં નથી...’ દેવનાં ચરણોમાં પડી... બંને ધોર આક્રંદ કરવા લાગ્યાં.
દેવે ત્યાં બંનેને ધર્મનો ઉપદેશ આપ્યો.
બંધુલા અને ધનદત્તના ઉપર એ ઉપદેશની સારી અસર થઈ. એ જ વખતે ભાવથી તે બંનેએ,
* સર્વવિરતિ સાધુજીવન અંગીકાર કર્યું.
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૧૩૦૧