________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમારે સિતારને બાજુએ મૂકી. સુંદરી જમીન પર બેસી પડી. સુંદરી, અહીં નજીક આવ.'સુંદરી કુમારની સામે આવીને બેસી ગઈ. મેં સાંભળ્યું છે કે તેં તારું સર્વસ્વ ત્યજી દીધું? “એક વસ્તુ સિવાય.' “એ વસ્તુ કઈ?”
“મહારાજકુમાર, હું આપને ત્યજી શકી નથી, ત્યજી શકીશ નહીં.. આપના તરફ મારું અકલ્પિત આકર્ષણ થઈ રહ્યું છે. સમજાતું નથી કે કયા જનમનો સ્નેહ મને આપના તરફ ખેંચી રહ્યો છે?”
સમજાશે. એ બધું. પરંતુ તું જાણે છે ને કે સમગ્ર રાજપરિવાર ત્યાગમાર્ગે ચાલી નીકળવા તત્પર બન્યો છે?'
હાજી, મહારાજકુમાર!'. “તેં શો વિચાર કર્યો?
“આપનાં જ પદચિહ્નો પર ચાલવાનો. મારે તો ઘણાં પાપ ધોવાનાં છે. આ આત્માએ ઘણાં ઘણાં પાપ કર્યો છે...'
‘દેવી, પશ્ચાત્તાપથી એ બધાં પાપો ધોવાઈ જશે. જોકે ઘણાં પાપ ધોવાઈ પણ ગયાં હશે?'
કુમાર, જે દિવસે અને જે ક્ષણે આપ ગૃહત્યાગ કરો, એ જ દિવસે... ને એ જ સમયે હું પણ ગૃહત્યાગ કરીશ... આપ એ જ અપેક્ષા મારી પાસે રાખો છો ને?”
હા સુંદરી, આત્માનો, આત્મા સાથે સંબંધ જોડવા માટે એ જ શ્રેષ્ઠ ઉપાય છે. તારે તારા આત્માને પરમ વિશુદ્ધ, પરમાત્મા સ્વરૂપ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે.” સુંદરી, તારી અને મારી જ્યોતમાં જ્યોત મળી જશે. એ જ સ્નેહની પૂર્ણતા છે.”
હું પણ એ જ ઇચ્છું છું...” પરંતુ માર્ગ સરળ નથી. દેહથી આત્માને જુદો કરવાનો ઉપાય કષ્ટમય છે....'
ગમે તેટલો કષ્ટમય હો, આપના સાન્નિધ્યમાં, હું દુનિયાભરનાં કષ્ટો સહન કરી શકીશ.'
તો ચાલ મારી સાથે, આજની રાત રાજમહેલમાં રહેવાનું છે. આવતી કાલે મહાપંથની યાત્રાએ જવાનું છે.
સુંદરીએ મહાશ્વેતા સામે જોયુંતેની આંખોમાંથી અવિરત અશ્રુધારા વહી રહી હતી. સુંદરી તેને ભેટી. એના મસ્તકે હાથ મૂક્યો. ને કુમારની પાછળ ચાલી નીકળી...
એક ગ્રીક શ્રી સમરાદિત્ય મહાકથા
૧800
For Private And Personal Use Only