________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[િ34]
ઉઘાનપાલકે મહારાજા પુરુષસિંહને નિવેદન કર્યું:
હે દેવ, પુષ્પકરંડક' ઉદ્યાનમાં “પ્રભાસ' નામના આચાર્યદેવ, અનેક શિષ્યોના પરિવાર સાથે પધારેલા છે. તેઓ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન - આ ચાર જ્ઞાન ધરાવે છે. યુવાન વય હોવા છતાં તેમની મુખાકૃતિ અવિકારી છે. બ્રહ્મચર્યનું તેજ એમના સુંદર મુખ પર છવાયેલું છે.”
મહારાજા પુરુષસિંહે ઉઘાનપાલકને સ્વર્ણહાર ભેટ આપ્યો અને નગરમાં ઉદ્દઘોષણા કરાવી:
પ્રિય નગરજનો, આજે પ્રશસ્ત તિથિ છે, પ્રશસ્ત મુહૂર્ત છે. આજે હું, યુવરાજ સમરાદિત્ય, મહારાણી, પુત્રવધૂઓ, અમાત્યો, સામંતો, શ્રેષ્ઠિનો અને નાગરિકો સાથે ગૃહવાસનો ત્યાગ કરી, જ્ઞાની આચાર્યદેવ પ્રભાસના વરદ હસ્તે સંયમ ધર્મનો સ્વીકાર કરીશ. બીજા પ્રહરના પ્રારંભમાં રાજમહેલથી જ સંયમયાત્રાનો પ્રારંભ થશે. સહુ નગરવાસીઓને પધારવા નિમંત્રણ છે.”
જેમ જેમ નગરમાં ઉદ્ઘોષણા થવા લાગી, તેમ તેમ હજારો સ્ત્રી-પુરુષો રાજમહેલના પ્રાંગણમાં ભેગાં થવા લાગ્યાં. રથો શણગારાવા લાગ્યા. વિવિધ વાજિંત્રો વાગવા લાગ્યાં. નૃત્યમંડળીઓ નૃત્ય કરવા લાગી. સ્તુતિપાઠકો મંગલ શ્લોકોનો પાઠ કરવા લાગ્યા. રાજપુરોહિતે પ્રયાણનું મુહૂર્ત નિવેદન કર્યું.
જે પ્રથમ રથમાં મહારાજા અને મહારાણી આરૂઢ થયાં.
ક બીજા રથમાં યુવરાજ સમરાદિત્ય અને એમની બે નવોઢા પત્નીઓ આરૂઢ થઈ.
ત્રીજા રથમાં ભારતની પ્રસિદ્ધ નૃત્યાંગના રૂપસુંદરી આરૂઢ થઈ. ચોથા રથમાં લલિતાંગ, અશોક અને કામાંકુર આરૂઢ થયાં. છે તે પછીના રથમાં મંત્રીવર્ગ હતો.
છે ત્યારબાદ શ્રેષ્ઠિઓ, નાગરિક સ્ત્રી-પુરુષો હતાં. વચ્ચે વચ્ચે નૃત્યમંડળીઓ નૃત્ય કરતી હતી.
નૂતન રાજા મુનિચન્દ્રકુમાર અસારૂઢ બની, મહારાજા પુરુષસિંહના રથની સાથે સાથે ચાલતાં હતાં.
1800
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only