________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
* ત્યાર પછી તેઓ વિશાળ મંદિરના એક નિર્જન ભૂમિભાગ પર જઈને બેઠા. ત્યાં તેઓનાં દર્શન-વંદન કરવા માટે અનેક ચારણ મુનિવરો અને અનેક વિદ્યાધર સ્ત્રી-પુરુષો આવવા લાગ્યાં. વાચકશ્રી સમરાદિત્યને વંદના કરી, એમની પાસે બેસવા લાગ્યાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અયોધ્યાના મહારાજા પ્રસન્નચંદ્રને સમાચાર મળ્યા કે ‘શુક્રાવતાર ચૈત્ય' માં મહાત્મા સમરાદિત્ય શિષ્ય સમુદાય સાથે પધારેલા છે. તેઓ સમગ્ર રાજપરિવાર સાથે, વંદન કરવા શક્રાવતાર ચૈત્યમાં આવ્યા. સર્વપ્રથમ તેઓએ પરમાત્મા ઋષભદેવની પૂજા કરી. ત્યાર બાદ જ્યાં વાચકશ્રી સમરાદિત્ય બિરાજમાન હતાં, ત્યાં આવ્યાં. તેઓને ભાવપૂર્વક વંદના કરી અને વિનયપૂર્વક તેમનાં ચરણોની નજીક બેઠાં. વાચકશ્રી સમરાદિત્યે રાજાને ‘ધર્મલાભ’ આપ્યો. રાજા પ્રસન્નચંદ્રે વિનયથી પૂછ્યું:
'ગુરુદેવ, અહીં નાભિરાજાના પુત્ર ભગવાન ઋષભદેવ ‘પ્રથમ' ધર્મચક્રવર્તી સંભળાય છે. તો શું એમના પૂર્વે ધર્મ ન હતો? અને જો ધર્મ હતો એમના પૂર્વે, તો તેઓ પ્રથમ તીર્થંકર કેમ કહેવાય છે? હે ગુરુદેવ, આ પ્રશ્નનું સમાધાન કરવા કૃપા
કરશો?’
વાચકો સમરાદિત્યે કહ્યું: ‘હે સૌમ્ય રાજન, આ ભરત ક્ષેત્રમાં, આ અવસર્પિણીકાળમાં ભગવાન ઋષભદેવ પ્રથમ તીર્થંકર છે. ધર્મનું અસ્તિત્વ તો એમના પૂર્વે પણ હતું અને છે. આ મધ્યલોકમાં, માત્ર આ ભરત ક્ષેત્ર જ છે, એમ નહીં, આવા બીજાં ભરતક્ષેત્ર છે, બૈરવત ક્ષેત્ર છે અને મહાવિદેહ ક્ષેત્ર છે. ત્યાં પણ તીર્થંકરો થયા કરે છે... અનાદિ-અનંતકાળની આ શાશ્વત વ્યવસ્થા છે. તીર્થંકરો ધર્મતીર્થની સ્થાપના કરે જ અને જીવોને ધર્મોપદેશ આપતા રહે.’
મહારાજા પ્રસન્નચંદ્રે પૂછ્યું: ‘ભગવંત, શું આ ‘અવસર્પિણી’ કાળ દરેક ક્ષેત્રમાં હોય?'
‘ના, દરેક ક્ષેત્રમાં ન હોય. પાંચ ભરતક્ષેત્ર અને પાંચ ઐરવત ક્ષેત્રમાં જ અવસર્પિણી તથા ઉત્સર્પિણીકાળ હોય. એટલે કે પડતો કાળ અને ચઢતો કાળ આવા ભેદ હોય છે. પરંતુ મહાવિદેહ ક્ષેત્રમાં એકસરખો સારો કાળ હોય છે. તે ક્ષેત્રમાં (પાંચે મહાવિદેહ ક્ષેત્રોમાં) સર્વ કાળે તીર્થંકરો હોય, ચક્રવર્તી રાજાઓ હોય, વાસુદેવો અને બલદેવો હોય. ત્યાં સર્વ ફાળે જીવો મોક્ષ પામતાં હોય છે.
૧૪૦૯
હે રાજેશ્વર, પાંચ ભરતક્ષેત્ર તથા પાંચ ઐરવત ક્ષેત્રોમાં કાળ ચઢતો-પડતો હોય છે. ‘કાળચક્ર’ ફરતું રહે છે.
For Private And Personal Use Only
ભાગ-૩ ૪ ભવ નવો