________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બની, અર્જુન નામના પોતાના નોકરના પ્રેમમાં પડી. તેમની પ્રેમચેષ્ટાઓ પણ થવા લાગી. કર્ણોપકર્ણ પુરંદરે આ વાત જાણી પણ ખરી, છતાં તેણે એ વાત સાચી ના માની, કારણ એને નર્મદા પર અતિમોહ હતો.
કેટલોક સમય નર્મદા અને અર્જુનનો વ્યભિચાર ચાલતો રહ્યો. પુરંદરદત્તની વૃદ્ધ માતાએ નર્મદા-અર્જુનનો સંબંધ જાણ્યો. એને ચિંતા થઈ. તેણે પુરંદરને ખાનગીમાં કહ્યું: “બેટા, તારી પત્નીનું ચારિત્ર સારું નથી, માટે એની તું ઉપેક્ષા ના કર, નહીંતર એક દિવસ તારો વિનાશ થશે.'
પુરંદરદત્તે માતાની વાત સાંભળી લીધી, પણ એના મનમાં એ વાત જચી નહીં. તેણે વિચાર્યું: “આ વાત સંભવતી નથી. નર્મદાનો મારા પર અતિ પ્રેમ છે. એ કોઈ પરપુરુષ સાથે સંબંધ ન રાખે. પરંતુ મોટા ભાગે સાસુ-વહુઓને એકબીજા પ્રત્યે સદભાવ નથી હોતો, દ્વેષભાવ હોય છે, માટે માતાએ મને આવી વાત કરી હોય! જોકે મારી માતા ઇર્ષાળુ નથી. દ્વેષી નથી. ગુણવતી છે. મારી માતામાં ઘણા ગુણો છે. છતાં “સ્ત્રીઓનાં ચિત્ત ચંચળ હોય છે.' એમ ઋષિ-મુનિઓ કહે છે. ઋષિ-મુનિઓનાં વચન સત્ય હોય છે. વળી તેઓ કહે છે કે “કામદેવનાં બાણ ઘણાં આકરાં હોય છે. સ્ત્રીની કામવાસના અતિ પ્રબળ હોય છે...' ખેર, માતાએ આજે મારું ધ્યાન દોર્યું છે, તો હું એની પરીક્ષા તો કરું.”
તેણે નર્મદાને કહ્યું: “હે સુંદરી, મારે મહારાજાની આજ્ઞાથી માહેશ્વરનગર જવાનું છે. મને પાછા આવતાં થોડા દિવસ જરૂર લાગશે... જેમ બને તેમ જલદી પાછો આવી જઈશ... મારાથી તારો વિરહ સહન નથી થતો...'
નર્મદાની આંખોમાં આંસુ આવી ગયાં. તેણે કહ્યું: “આર્યપુત્ર તમારા વિના મને એકલીને જરાય નહીં ગમે...' નર્મદાની આંખોમાં આંસુ જોઈ, સરળ બ્રાહ્મણ પણ ગળગળો થઈ ગયો. તેણે કહ્યું: “હે પ્રિયે, માહેશ્વરનગરમાં જરાય વિલંબ નહીં કરું, જલદીથી જલદી પાછો આવી જઈશ. તું અધીર ના બનીશ. મન મજબૂત રાખ...”
નર્મદાએ કહ્યું: “ભલે, આપ સુખેથી પધારો. આપ કહેશો તેમ હું કરીશ.”
બીજા દિવસે પુરંદર ઘરેથી નીકળી ગયો. ખરેખર એને માહેશ્વરનગર જવાનું હતું જ નહીં. એ થોડા દિવસ પાસેના જ ગામમાં પોતાના એક મિત્રના ઘરે રોકાઈ ગયો. પછી એક રાત્રિના સમયે, તે અહીં ઉજ્જૈનમાં આવ્યો. મધ્યરાત્રિના સમયે એણે પોતાના આવાસમાં છૂપી રીતે પ્રવેશ કર્યો. તેણે પલંગમાં નર્મદાની સાથે અર્જુનને સૂતેલો જોયો. તેમનાં વસ્ત્રો અસ્તવ્યસ્ત હતાં. રતિક્રીડા કરીને, તેઓ બંને સૂતાં હતાં.
પુરંદરને ભયંકર ક્રોધ ચડ્યો. તેની વિષયવાસના તો નાશ પામી ગઈ, સાથે સાથે તે ભયંકર ક્રોધથી ધ્રુજી ઊઠ્યો. તેણે વિચાર્યું: “સ્ત્રીઓ સ્વભાવથી જ આવી હોય ૧૩૮0
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only