________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“પિતાજી, મહામોહનો પ્રભાવ અતિ ભયાનક છે.
સ્વરદી મૃત્યુનો દરેક જીવ પર પ્રભાવ જોવા છતાં, મોહમૂઢ જીવો “મૃત્યુ” નો વિચાર નથી કરતાં.
વૃદ્ધાવસ્થાથી ઘેરાવા છતાં, ઇષ્ટ-પ્રિય વસ્તુઓનો વિયોગ થવા છતાં, વીર્ય અને શક્તિ ક્ષીણ થવા છતાં.... મોહમૂઢ જીવો જાગ્રત થતાં નથી.
ધીર પુરુષોની પ્રેરણા મળવા છતાં - “અમને જ્ઞાન પરિણમતું નથી...” અથવા ‘અમારી ચિંતા કરનાર કોઈ નથી.' આવું વિચારીને મોહમૂઢ જીવો નિષ્ક્રિય બની રહે
મોહમૂઢ જીવો “અર્થ અને ભોગસુખ અત્યંતિક શાશ્વત છે.' એમ માને છે અને વ્યાધિ-જરા-મૃત્યુથી નિરપેક્ષ બને છે.
ધર્મપુરુષાર્થનો તિરસ્કાર કરે છે, અનાદર કરે છે અને આસક્તિથી ધન અને કામભોગોમાં પ્રવર્તે છે.
મોહમૂઢ જીવો, વ્યાધિ-જરા-મૃત્યુનો નાશ કરનાર, સર્વ જીવોને હિતકારી, અચિંત્ય ચિંતામણિરત્ન સમાન મોક્ષ મેળવી આપનાર, સર્વજ્ઞ કથિત ધર્મમાં પુરુષાર્થ કરતા નથી.”
કુમારની વાણી અસ્મલિત ગતિથી વહી રહી. રાજા-રાણી, બે નવવધૂઓ... મિત્રો... સખીઓ વગેરે સહુ તન્મય બની સાંભળતાં રહ્યાં. સૂર્યોદય પછી બે ઘટિકા વીતી ગઈ હતી. મહારાજાએ કહ્યું:
વત્સ, તેં કહ્યું તે બરાબર છે. જરાય ફરક નથી. તારી વાત સાચી છે, ઉચિત છે... અમને ગમી છે...'
રક
ગ્રહ
શક
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૭
For Private And Personal Use Only