________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજી બાજુ વધૂપક્ષે પણ પોતાની તૈયારીઓ કરવા માંડી, બંને કન્યાઓને સ્નાન કરાવવામાં આવ્યું. કામદેવની પૂજા કરાવામાં આવી. મંત્રવિધાન કરાવવામાં આવ્યું અને બંને રાજકુમારીને સારી રીતે, વસ્ત્રાભરણોથી શણગારવામાં આવી.
આ બાજુ મુખ્ય રાજપુરોહિત, રાજકુમાર પાસે કુળદેવતાની પૂજા કરાવી. ગુરુવર્ગને કુમારે નમસ્કાર કર્યા. મિત્રોનું સન્માન કર્યું, મંગલકારી શુકન જોયાં અને વિવાહ માટે અશોક વગેરે મિત્રો સાથે કુમાર રથમાં આરૂઢ થયો.
આનંદનો કલરવ ઊછળ્યો. આ મંગળ વાજિંત્ર વાગવા લાગ્યાં.
વારાંગનાઓ નૃત્ય કરવા લાગી. આ અંતઃપુરની સ્ત્રીઓ મંગલ ગીતો ગાવા લાગી.
રાજાઓ કુમારના રથની આગળ ચાલવા લાગ્યાં. આ કામી-વિલાસી યુવાનો કુમારની પાછળ નાચવા લાગ્યાં. જ નગરીમાં સર્વત્ર આનંદ છવાયો. છે મહારાજા સ્વયં અતિ પ્રસન્ન થયાં. પરંતુ કુમાર સમરાદિત્યના મનમાં ભવિષ્યના ભવસ્વરૂપનું ચિંતન ચાલતું હતું. એના ચિત્તમાં વૈરાગ્ય અને સંવેગ રમતા હતા. આ બધી લગ્નવિધિ ‘બાલચેષ્ટા' લાગતી હતી.
સ્તુતિપાઠકો સ્તુતિ કરતાં હતાં. કે નગરજનો કુમારની પ્રશંસા કરતાં હતાં. વિવાહમંડપ આવી ગયો. કુમાર, મિત્રો સાથે રથમાંથી ઊતરી, વિવાહમંડપમાં પ્રવેશ્યો. પુરોહિતે લગ્નવિધિ કરાવી. હસ્તમેળાપ થયો. અગ્નિ પ્રગટો, વધૂઓ સાથે કુમાર ફેરા ફર્યો. ત્યાં ઉપસ્થિત લોકોનો સત્કાર કર્યો. મહાદાન આપવામાં આવ્યું. લગ્નવિધિ પૂર્ણ થઈ.
બે પત્નીઓ સાથે રથમાં બેસીને, કુમાર સમરાદિત્ય નૂતન પ્રાસાદમાં પ્રવેશ્યો. સાથે અશોક વગેરે મિત્રો હતાં. પત્નીઓ સાથે કુંદલતા, માનિની વગેરે સખીઓ હતી. દિવસ આથમવાની તૈયારીમાં હતો, એટલે કુમારે ને સહુએ ભોજન કરી લીધું.
સૂર્યબિંબ શીતળ બની ગયું. કિરણો સમેટાઈ ગયાં. સંધ્યા પ્રગટ થઈ. આકાશ લાલ લાલ થઈ ગયું. ચંદ્રોદય થયો. આકાશનું સૌન્દર્ય ખીલી ઊઠયું.
કુમારે મિત્રો સાથે વાસભવનમાં પ્રવેશ કર્યો. પાછળ જ નવવધૂઓએ પોતાની સખીઓ સાથે પ્રવેશ કર્યો.
ર એક એક
૧398
ભાગ-૩ % ભવ નવમો
For Private And Personal Use Only