________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સર્વે શુકનોના અર્થ જાણનાર કુમારે કહ્યું:
‘પિતાજીના આશીર્વાદથી કંઈ પણ અસાધ્ય નથી. આપના અને માતાજીના મારા પર આશીર્વાદ છે... બસ, મારે બીજું શું જોઈએ? બધું શુભ જ થવાનું છે.’
મહારાજાએ પ્રધાનમંડળને અનેક આજ્ઞાઓ કરી:
* મહાદાન દેવડાવો.
* સમગ્ર નગરને શણગારો.
* અંતઃપુરને આમંત્રણ આપો.
નગરશ્રેષ્ઠીઓને નિમંત્રણ આપો.
* નૃત્યમંડળોને બોલાવો. રાસમંડળીઓને બોલાવો.
• આનંદભેરી વગડાવો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* માર્ગ પર નાટકોનું આયોજન કરાવો.
♦ અને મહત્ત્વપૂર્ણ કાર્ય -રાજપુરોહિતોને લગ્નનું મુહૂર્ત પૂછો. મહારાજાની આજ્ઞાઓનો તરત જ અમલ શરૂ થયો. રાજપુરોહિતે મહારાજાને કહ્યું: ‘મહારાજા, કુમાર સમરાદિત્યનું લગ્ન આજે પંચમીના દિવસે જ કરવું જોઈએ. શ્રેષ્ઠ મુહૂર્ત છે.’
‘પુરોહિતજી, તમે શ્રેષ્ઠ મુહૂર્ત આપ્યું. ઘણું સારું કર્યું.'
મહારાજાએ પોતાના ગળામાંથી સ્વર્ણહાર કાઢી, પુરોહિતને ભેટ આપ્યો. મહારાજાએ મંત્રીઓને કહ્યું:
‘આજે જ સંધ્યા સમયે લગ્નનું મુહૂર્ત છે માટે, લગ્ન સમારંભની તૈયારીઓ શરૂ કરી છે.’
મહામંત્રી સુબુદ્ધિએ કહ્યું: ‘મહારાજા, મોટા ભાગની તૈયારીઓ થઈ ગઈ છે. રાજમહેલના દ્વારે મંગલમય પવિત્ર વાજિંત્રો વાગી રહ્યાં છે. રાજપરિવાર રાજમહેલમાં ભેગાં થઈ રહ્યો છે. આપની આજ્ઞાનો અમલ થઈ રહ્યો છે. લગ્ન માટેની મુખ્ય સામગ્રી ભંડારમાંથી કાઢીને, મહારાણીને આપવામાં આવે છે. ભંડારમાંથી દેવદૃષ્યો કાઢીને, રાજપરિવારને આપવામાં આવે છે. ચંદરવા અને તોરણો લગ્નમંડપમાં બાંધવામાં આવે છે. ઉપસ્થિત મિત્રરાજાઓને ભંડારમાંથી મુખ્ય આયુધો કાઢીને, આપવામાં આવે છે. લગ્નના વરોોડા માટે હાથી અને હાથણીઓને શણગારીને, પરિવારને સોંપવામાં આવે છે. અશ્વશાળામાંથી અશ્વોને કાઢીને, તેમને સુશોભિત કરવામાં આવે છે.
મોટો લગ્નમંડપ બંધાય છે. મણિનાં તોરણો બંધાઈ રહ્યાં છે. સુવર્ણદંડવાળી ધજાઓ બાંધવામાં આવી છે. સુવર્ણની વેદિકા સ્થાપવામાં આવી છે. સુવર્ણના મંગળ કળશો તૈયાર કરવામાં આવ્યા છે.’
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
9393