________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સ્ત્રી-પુરુષ તરફ દોડ્યો અને બોલ્યો: ‘અરે જરા, તું આ બંને બિચારાં સ્ત્રી-પુરુષને છોડી દે. તું સ્ત્રી છે એટલે અવધ્ય છે.'
રથ ઊભો રહી ગયો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૃત્યમંડળીઓ શાંત થઈને, ઊભી રહી ગઈ.
નગરજનો ટોળે વળ્યાં.
સારથિએ કુમાર પાસે આવીને કહ્યું: ‘હું કુમાર, આ ‘જરા’ કંઈ દેહધારી સ્ત્રી નથી. આપ એને ઠપકો આપો તેનો કોઈ અર્થ નથી. કુમાર મનુષ્યના શરીરની કાળના પ્રભાવથી આ અવસ્થા થાય છે. દરેક મનુષ્યના શરીરની અને પશુ-પક્ષીનાં શરીરની આ અવસ્થા, આ જરાવસ્થા સહજ રીતે હોય છે.'
કુમારે નગરજનો સામે જોઈને પૂછ્યું: ‘આ સારથિ જે વાત કહે છે તે સાચી છે?’ ‘કોઈ શંકા નથી આ વાતમાં, મહારાજકુમાર.’
‘રે સારથિ, હવે મેં આ ‘જરા’નો ભાવાર્થ જાણ્યો. આ જરાવસ્થા ન આવે તેનો ઉપાય પણ જાણ્યો. તેથી હે સારથિ, તને અને આ ઊભેલા નગરજનોને કહું છું કે મનુષ્યના બળનો નાશ કરનારી, ધર્મ-અર્થ અને કામ-પુરુષાર્થને હાનિ પહોંચાડનારી, અપમાન અને તિરસ્કારની કારણભૂત, હાસ્યાસ્પદ બનાવનારી એવી આ જરાવસ્થાનો જ્યાં પ્રભાવ વર્તતો હોય ત્યાં ધર્મનું ઔષધ છોડીને, આવા ઉત્સવ-મહોત્સવો યોજવા શું યોગ્ય લાગે છે?’
4
નગરશેઠ બોલ્યા: ‘અહો! કુમારનો વિવેક કેવો છે! કેવી પારમાર્થિક વાત કરી કુમારે! આ વાત સાચી છે. એમાં કોઈ ફેરફાર નથી... આ તો દુનિયામાં મહામોહનો પ્રભાવ પ્રવર્તી રહ્યો છે. હે દેવ, આપે સુંદર વાત કરી, છતાં અનાદિકાલીન મોહવાસના છૂટવી દુષ્કર છે.’
૧૩૫૨
કુમારે કહ્યું: 'હે નગરશ્રેષ્ઠી, દરેક મનુષ્ય પર જરાનો પ્રભાવ હોવા છતાં, એના પ્રતિપક્ષી ધર્માચરણમાં પુરુષાર્થ ન કરવો, એ જ ખરેખર, મોહવાસના છે. આવી મોહવાસના શા કામની? ભયંકર વિષાકવાળો વ્યાધિ છે, અને ભયંકર ક્લેશ કરનારી આ જરા છે...’
For Private And Personal Use Only
ભાગ-૩ ૪ ભવ નવમો