________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંકટ સમય હતો. સુંદર વાતાવરણ હતું. સુંદર હતી અને સુંદર પ્રકાશ હતો. જળ-સ્થળ સોંસરવું જાણે કોઈ સરસતાનું મોજું લહેરિયાં ખાઈ રહ્યું હતું.
રાજમહેલની પાછળના “સુંદર' ઉદ્યાનમાં ચારે મિત્રો બેઠાં હતાં. થોડી વાર તો સહુ મૂંગા મૂંગા બેસી રહ્યાં. છેવટે અશોકથી ના રહેવાયું. એણે સહુથી પહેલાં મૌનભંગ કર્યો.
કુમાર, શું લગ્ન કરવા ગમતાં નથી?” કુમાર માત્ર હસ્યો. એ હાસ્યમાં સુંદર ઉત્તર સમાયેલો હતો.
કુમાર, કાલે રાત્રે જાણવા મળ્યું છે કે રાજનગરના મહારાજા ખડ્રગસેનની બે પુત્રીઓ - વિશ્વમવતી અને કામલતાને લઈને, ત્યાંના મહામંત્રી અભયસિંહ, અમરસિંહ, અક્ષયસિંહ વગેરે મોટા રસાલા સાથે અહીં આવ્યા છે. રાજ્યના વિશાળ અતિથિગૃહમાં તેમનો ઉતારો છે. હું આજે સવારે મહારાણીનું આમંત્રણ મળતાં રાજમહેલમાં ગયો હતો.' “કેમ? એ રાજકુમારીઓ સાથે તારું ગોઠવાય છે કે?' કામાકુરે મજાક કરી. કેમ તને ઈર્ષા આવી કે?’ અશોક કંઈ પાછો પડે એમ ન હતો...” ના રે ભાઈ, આપણે તો પરણવું જ નથી ને. આપણે તો દીક્ષા લેવી છે.” બહુ સરસ. ગુરુદેવ પધારવાના જ છે. પહેલો શિષ્ય તું બની જઈશ.” લલિતાંગે કહ્યું: “અશોક, મહારાણીજીએ તને બોલાવીને શું કહ્યું?”
મને કહે, વત્સ અશોક, રાજનગરની બે રાજકુમારીઓને તારે જોવાની છે.... પછી એનું એવું સુંદર વર્ણન રાજકુમાર સામે કરવાનું છે કે રાજકુમાર એ રાજકુમારીઓ સાથે પરણવા તૈયાર થઈ જાય.'
અહો, માતાનો કેવો પ્રગાઢ મોહ છે મારા ઉપર. હું પરણું તો એ સુખી થાય. કેવી અજ્ઞાનતાભરી માન્યતા છે માતાની.”
જે હોય તે ખરી. કુમાર, તમારે લગ્ન તો કરવો પડશે.” અશોકે કહ્યું. લલિતાગે કહ્યું: “અશોક, તેં બંને રાજકુમારીને જોઈ?”
હા, જોઈને જ આવ્યો મહારાણીજીએ એ બંનેને બોલાવી હતી, પોતાની પાસે. આમ તો મહારાણીના ભાઈની જ એ પુત્રીઓ છે ને. મેં એ બંનેને જોઈ.”
કેવી છે? વર્ણન તો કર! સંસ્કૃત, પ્રાકૃત ભાષાનો મોટો પંડિત છે. તો વર્ણન કરતાં નથી આવડતું?” કામકુર આજે આક્રમક મિજાજમાં હતો. પરંતુ અશોક પ્રફુલ્લિત હતો. તેણે કહ્યું: શ્રી સમરાદિત્ય મહાકથા
૧3૫e
For Private And Personal Use Only