________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમાર, તું વિનયી છે, વિવેકી છે. તે ક્યારેય અમારો અવિનય નથી કર્યો.. અવિવેક નથી કર્યો. ક્યારેય મારું કે તારી જનનીનું હૃદય નથી દૂભવ્યું, અમે પણ તારા મનને દૂભવવા નથી ઇચ્છતાં... જા વત્સ, હમણાં તું તારું કામ કર. સમય આવતાં વાત કરીશ.”
પિતાજી, જેવી આપની આજ્ઞા...' | વિનયથી મહારાજાને પ્રણામ કરી, કુમાર પોતાના આવાસમાં આવ્યો. આવાસમાં અશોક, લલિતાંગ અને કામાંકુર ત્રણે મિત્રો બેઠાં હતાં. ત્રણેએ ઊભા થઈ, કુમારનું સ્વાગત કર્યું. કુમારે વસ્ત્રપરિવર્તન કરી, સાદાં શ્વેત વસ્ત્રો ધારણ કર્યા અને મિત્રોની સાથે બેઠો.
અશોકે કહ્યું: કુમાર, આજે તો વસંતોત્સવને તમે અધ્યાત્મ-ઉત્સવમાં બદલી નાખ્યો.
અરે ભાઈ, વ્યાધિ, જરા અને મૃત્યુના વિષયમાં, મેં તો આવી પારમાર્થિક હૃદયસ્પર્શી વાત આજે જ સાંભળી.. ને મારું મન હાલી ઊડ્યું!” કામાંકુર બોલ્યો.
લલિતાંગે કહ્યું: “મહારાજકુમારના રથનો સારથિ કેવો તત્ત્વજ્ઞાની છે! કુમારના પ્રશ્નોના ઉત્તર કેવા સુંદર આપતો હતો? ખરેખર, મને તો એ સારથિ ખૂબ ગમ્યો.'
કામાંકુરે કહ્યું: ‘લલિતાંગ, જો તું ઇચ્છે તો સારથિ અને રથ - બંને તને ભેટ અપાવી દઉં.'
કામાંકુર, હવે વળી લેવાની વાત કેવી? હવે તો જે કંઈ છે આપણી પાસે, તેનો ત્યાગ કરવાની વાત કર. મને સારથિ નહીં, સારથિની તત્ત્વજ્ઞાનપૂર્ણ વાતો ખૂબ ગમી...”
પરંતુ કેટલાક યુવાનોને અચાનક ઉત્સવ સ્થગિત થઈ ગયો, એ ન ગમ્યું.” કામાંકુર બોલ્યો.
કામાંકુર, બધી વાતો બધાને ન ગમે. ખુદ ઇન્દ્ર પણ સહુને ખુશ કરી શકતો નથી, તો આપણે કેવી રીતે કરી શકવાના? એમાંય પારમાર્થિક વાતો બહુ થોડા જીવોને ગમે. સમરાદિત્યે કામાંકુરના મનનું સમાધાન કરતાં કહ્યું.
અશોક બોલ્યો: “કુમાર, આપનો રથ રાજમહેલ તરફ વળ્યા પછી, હું રથમાંથી ઊતર્યો અને ૧૦-૧૨ યુવાન જોર જોરથી ચર્ચા કરતાં હતાં, તેમની પાસે જઈને, મેં કહ્યું: ‘મિત્રો, મહારાજકુમારે વસંતોત્સવ કરવાની ના પાડી જ નથી. તમે જાઓ અને ગીત-નૃત્ય અને નાટક રચાવો. તમને રાજ્ય તરફથી કે રાજકુમાર તરફથી કોઈ અવરોધ નહીં થાય...” “પછી?” લલિતાગે કંઈક ઉત્તેજિત થઈને પૂછ્યું. પછી મેં તેમને કહ્યું: ‘ભલે તમે વસંતોત્સવ ઊજવો, પરંતુ કુમારે કહેલી વાતો -
શ્રી સમરાદિત્ય મહાકથા
3છે.
For Private And Personal Use Only