________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બજારમાં વસ્તુઓ ખરીદનારાઓનો તોટો ન હતો, પણ સાક્ષાત દરિદ્રતાને કોણ ખરીદે? આખરે, સાંજ પડે રાજાએ એ દરિદ્રતાનું પૂતળું ખરીદી લીધું.
રાત પડી. રાજા પોતાના શયનખંડમાં પ્રવેશ્યો. સૂવાની તૈયારી કરે છે ત્યાં હાથીની અધિષ્ઠાત્રી દેવી આવી.
ઘોડાની અધિષ્ઠાત્રી દેવી આવી. ખુદ લક્ષ્મીદેવી પધાર્યા, ત્રણે દેવીઓએ રાજાને કહ્યું :
રાજન, તે અમારું અપમાન કર્યું છે, આજે દરિદ્રતાનું પૂતળું તારા મહેલમાં લાવી ને. અમારાંથી હવે તારા મહેલમાં નહીં રહેવાય. અમે વિદાય લેવા આવ્યાં છીએ..
રાજાએ ત્રણે દેવીઓને પ્રણામ કરીને કહ્યું: “હે માતાઓ, જો પૃથ્વીના રાજાઓ પોતાનાં વચન નહીં પાળે તો પ્રજા કોના પર વિશ્વાસ કરશે? રાજાનું વચન તો વજલેખ કહેવાય. રાજાએ પોતાના વચનની ખાતર પ્રાણ પણ આપવા જોઈએ. તમારે જવું જ હોય તો ખુશીથી પધાર. પેલું પૂતળું તો અહીં જ રહેશે.'
ત્રણ દેવીઓ ચાલી ગઈ... થોડી વાર પછી એક સુંદર પુરુષ પ્રગટ થયો. એની ચારે બાજુ તેજનાં વલય રચાયાં. એણે કહ્યું: “રાજન, હું સત્ત્વનો દેવ છું. તારી વિદાય માગું છું.” રાજ ઊભો થયો. તેણે દેવને પ્રણામ કરીને કહ્યું: “હે સત્ત્વદેવતા, રાજ જતું હોય તો ભલે જાય, લક્ષ્મી જતી હોય તો ભલે જાય, હાથી-ઘોડા લૂંટાતાં હોય તો ભલે લૂંટાય, યશ પણ ભલે નાશ પામે, પણ જીવતા જીવ હું તમને જવાની અનુમતિ નહીં આપે. તમે તો મારા બીજા પ્રાણ છો.'
પણ સર્વે કંઈ ન સાંભળ્યું. એ ચાલવા લાગ્યો. એટલે રાજાએ ઝબ કરતી તલવાર ખેંચી કાઢી અને કહ્યું: “હે સત્ત્વદેવ, આ દેહનું બલિદાન આપી દઈશ, પણ તમને નહીં જવા દઉં. તમે જો ન રહો તો મારે આ નશ્વર દેહની પણ જરૂર નથી.”
સત્ત્વનો દેવ પાછો ફર્યો. લક્ષ્મીદેવી વગેરે પણ પાછાં ફર્યા.
આવો સત્ત્વશીલ હતો એ ઉજ્જૈનીનો રાજા! કુમાર, તારે પણ એવા રાજા બનવાનું છે, અને તારા આ મિત્રોને તું ક્યારેય ના છોડીશ.”
આચાર્યદેવે પોતાનું વક્તય પૂરું કર્યું. ચારે મિત્રો આનંદિત થયાં. સમરાદિત્યે ઊભા થઈને, વિનયથી કહ્યું: “ગુરુદેવ, અમે આવતીકાલે સવારે ઉજ્જૈની જવા પ્રયાસ કરીશું. અમે આપને વિનંતી કરીએ છીએ કે આપ ઉર્જની પધારો.”
રાજકુમાર, તમારી પ્રાર્થના ઉચિત છે. ઉર્જની આવવાની ભાવના રાખીશ. શ્રી સમાદિત્ય મહાકથા
૧3૫
For Private And Personal Use Only