________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સ્ત્રી શું સમરાદિત્યને રાગી, મોહી, વિકારી, વિલાસી બનાવી શકશે? કે સમરાદિત્ય આ નારીને જોગણ બનાવી દેશે? ખેર, બંનેની મુલાકાત તો કરાવી જ દઉં. પરિણામ જે આવે તે ખરું.”
| 0 0 0. ચારે મિત્રો વહેલી સવારે ઊઠીને, નાનાદિથી પરવારી, અશ્વારૂઢ બની, ઉર્જાની આવ્યાં હતાં. માર્ગમાં લલિતાંગ અને કામાંકુરના અશ્વો સાથે ચાલતાં હતાં. રાજકુમાર અને અશોકના અશ્વો સાથે દોડતાં હતાં. માર્ગમાં જ લલિતાગે કામાકુરને પોતાની ભવિષ્યની યોજના સમજાવી દીધી હતી. અને એ યોજના મુજબ લલિતાંગ, સુંદરીના આવાસમાં પહોંચ્યો હતો. રાજકુમારનું જીવન-પરિવર્તન સુંદરી કરી શકશે.' એવો એનો વિશ્વાસ આજે સુંદરી સાથેના વાર્તાલાપમાં ઢીલો પડી ગયો હતો. કદાચ કુમાર, આ ગણિકાને પ્રતિબોધ આપીને સાધ્વી બનાવી દેશે!' એમ એના મનમાં લાગી ગયું હતું. છતાં એ છેવટ સુધી પ્રયત્ન કરી લેવાનો નિર્ણય કરી, સુંદરીના આવાસમાંથી નીકળી, રાજમહેલમાં પહોંચ્યો હતો. પ્રભાત થઈ ગયું હતું.
કુમાર સમરાદિત્ય સ્વાભાતિક ધર્મકૃત્યોમાં પરોવાયેલો હતો. તેણે સંકેતથી લલિતાંગને બેસવા કહ્યું. લલિતાંગ પલંગ પર બેઠો... પરંતુ બેઠાં બેઠાં એને ઊંઘ આવી ગઈ! કુમારે પોતાનાં ધર્મકૃત્યો પૂરા કર્યા. લલિતાંગને જગાડીને કહ્યું:
ચાલ, હવે સાથે જ દુગ્ધપાન કરીએ... પછી તારે જે વાતો કરવી હોય તે કરજે....'
લલિતાંગ કુમાર સાથે ભોજનગૃહ તરફ ગયો. તેણે દુગ્ધપાન કર્યું. રાજા-રાણીને મળ્યું. થોડી વાતો કરી. પછી કુમારના ખંડમાં જઈને બંને બેઠા.
છે
કે
જે
૧33%
ભાગ-૩ + ભવ નવમો
For Private And Personal Use Only