________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વળી, કામશાસ્ત્રનો જ્ઞાતા પુરુષ જ પોતાની પત્નીને રીઝવી શકે છે, એવો કોઈ નિયમ નથી. જે પુરુષ, કામશાસ્ત્રને નથી જાણતો, તે પુરુષ પણ પોતાની પત્નીને રીઝવી શકે છે. એટલું જ નહીં, કામશાસ્ત્રની આંખે જોનારા પુરુષોને પોતાની પત્ની વ્યભિચારિણી દેખાય છે. માટે “કામશાસ્ત્ર' જરાય ઉપાદેય નથી, આ મારું સ્પષ્ટ મંતવ્ય છે.
વળી, કામાકુરે જે વિશુદ્ધ પુત્રોત્પત્તિની વાત કરી, તે પણ બરાબર નથી. કામશાસ્ત્રના જ્ઞાતા અને એ પ્રમાણે આચરણ કરનારાં સ્ત્રી-પુરુષોના સંયોગથી ઉત્પન્ન થનારા પુત્રો, કુલાંગાર થયાના દૃષ્ટાંતો દુનિયામાં જોવા મળે છે. સર્પ જેવા પેદા થયેલાનાં ઉદાહરણ જોવા મળે છે. માટે વિશુદ્ધ સંતતિ માટે કામશાસ્ત્રની ઉપાદેયતા રહેતી નથી. કામશાસ્ત્રની નિરર્થકતા જ્ઞાની પુરુષોએ બતાવેલી છે.'
મધ્યરાત્રિનો સમય થઈ ગયો હતો. અશોકે કહ્યું: “મહારાજકુમારની વાત આપણે વિચાર કરવા જેવી છે. મને એમ લાગે છે કે જીવનમાં કામભોગ જ સર્વસ્વ ન હોવા જોઈએ. સાથે સાથે ધર્મપુરુષાર્થ પણ કરવો જોઈએ. પરંતુ હવે આ વિષયમાં વિશેષ ચર્ચા આપણે માર્ગમાં કરીશું. અત્યારે તો મુકામ પર પહોંચી જઈ, એકાદ પ્રહર નિદ્રા લઈ લઈએ. તો જ સવારે વહેલા પ્રયાણ કરી શકીશું.” સહુ ઊભા થયા અને પહાડી ઉતરવાં લાગ્યાં.
૦ ૦ ૦ મધરાત થયેલી હતી.
આકાશની ચાંદની ગવાક્ષ વાટે પોતાની સુધા હવેલી ઉપર ઢોળી રહી હતી. ક્ષિપ્રા-સરયુના પ્રવાહ ઉપર ઝૂલતા એક ખંડમાં ત્યારે નૃત્યાંગના સુંદરી ગાઢ નિદ્રામાં પડી હતી. એનો નાગપાશસમો કેશકલાપ છૂટો અને વીખરાયેલો પડ્યો હતો. વક્ષ:સ્થળ પર વીંટેલું આસમાની રંગનું પારદર્શક ઉત્તરીય વસ્ત્ર નારીની મનોરમતાનું દર્શન કરાવતું હતું. એના વિશાળ ભાલમાં મોટો ચંદ્રક હતો ને સુડોળ નાસિકામાં અમુલખ મોતીની સેર હતી.
રત્નગોખમાં બળતો દીપક, બિલોરી કાચ દ્વારા પોતાનું તેજ આ સુંદરીના પ્રત્યેક અંગ પર ઢોળીને, એક રૂપશ્રી ભર્યું સજીવ કાવ્ય રચી રહ્યો હતો. પ્રકૃતિએ પોતાના સૌન્દ્રય વિજય માટે આ પૂતળી કંડારી ન હોય, તેવું લાગતું હતું. લલિતાંગ હવાથી ધ્રુજતો અને ટાઢથી કંપતો, જ્યારે એ ખંડમાં પ્રવેશ્યો ત્યારે ચંદ્રનાં બે-ચાર કિરણ સુંદરીના રૂપાળા મુખ પર રમી રહ્યાં હતાં.
તુ તુનાં ફૂલો ને તું ઋતુનાં અત્તરો વાપરનારી આ ગણિકા ઋતુને યોગ્ય વસ્ત્રો સજતી, ને તુને યોગ્ય આવાસોમાં વસતી. એના વિશાળ ભવનમાં અનેક ખંડ ઉપખંડ અને ભૂગૃહ હતાં. એણે મુલાકાતે આવનારાઓ માટે સપ્ત સ્વર્ગખંડ
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩૩
For Private And Personal Use Only