________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(2001
દિવસનો પ્રથમ પ્રહર પૂર્ણ થયો હતો. બીજા પ્રહરનો પ્રારંભ થયો હતો. કુમાર સમરાદિત્ય મિત્રોની સાથે, ઉપાશ્રયમાં આવીને, આચાર્યદેવ તથા અન્ય મુનિવરોને વિંદના કરીને, આચાર્યદેવની સામે વિનયથી બેસી ગયાં હતાં.
બે હાથે અંજલિ રચી, મસ્તકને નમાવી, સમરાદિત્યે કહ્યું: ‘ગુરુદેવ, આજે મારે કિંઈ પૂછવું નથી. આપને જ અમારા માટે જે ઉચિત લાગે, તે ઉપદેશ આપો.”
આચાર્યદેવે ઘર્મકથાનો પ્રારંભ કર્યો.
રાજકુમાર, પ્રત્યેક રાજાના માથે અનેક પ્રકારની આપત્તિઓ તોળાઈ રહેલી હોય છે. રાજકુળ એ ખટપટોનું મહાદ્વાર છે. વિષપ્રયોગ, વિશ્વાસઘાત, વિષકન્યા, વ્યસનો અને વ્યાધિ, રાજાને ઘેરી લેવા સદા સજ્જ ઊભાં હોય છે. એ માટે રાજાએ જો અજેય બનવું હોય તો સાત મહાવ્યસનોથી દૂર રહેવું જોઈએ. ૧. જુગાર, ૨. માંસ, ૩. સુરા, ૪. વેશ્યા, ૫. શિકાર, ૬. પરસ્ત્રી અને ૭. અન્યાયી દ્રવ્ય. આ સાત વ્યસનો ત્યાગનાર રાજા સદા અજેય બને છે. વત્સ, રાજા કેવો હોવો જોઈએ? એનાં લક્ષણો સાંભળી લે. છે રાજાનું શરીર શુભ લક્ષણોથી યુક્ત જોઈએ. છે તેની પાંચે ઇન્દ્રિયો પરિપૂર્ણ જોઈએ.
રાજા રૂપવાન જોઈએ, મદ વિનાનો જોઈએ. છે ઓજસ્વી અને યશસ્વી જોઈએ. ક કૃપાવંત અને કલાવંત જાઈએ.
જ પ્રભાવશક્તિ, મંત્રશક્તિ અને ઉત્સાહશક્તિ - આ ત્રણ શક્તિઓ એનામાં જોઈએ.
પ્રજા પર પ્રીતિ ધરનાર જોઈએ. ધર્મ, અર્થ અને કામ આ ત્રણ પુરુષાર્થનો જ્ઞાતા જોઈએ. છે ભરપૂર અર્થભંડારવાળો જોઈએ. જ વિશ્વાસપાત્ર ગુપ્તચરોવાળો જોઈએ. ક કાર્યસિદ્ધિના લક્ષ્યવાળો જોઈએ.
દુષ્ટોનો નિગ્રહ કરનાર અને શિષ્ટ પુરુષો પર અનુગ્રહ કરવામાં કુશળ જોઈએ. છેરાજામાં સત્ત્વગુણ હોવો જોઈએ.
જ રાજાને તત્ત્વજ્ઞાન પણ હોવું જોઈએ. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩
For Private And Personal Use Only