________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારે રાજકુમારનાં દર્શન કરવાં છે.'
હું હાજર જ છું!” ખંડમાંથી બહાર આવતાં કુમારે હસીને, કામાંકુરની પીઠ પર હાથ મૂક્યો...
નમસ્તે.”
નમસ્તે કામાકુર, આજે આપણે ધર્મકથા સાંભળવા ઉપાશ્રયે જવાનું છે, ભૂલતો નહીં. તારું વચન છે.”
મહારાજ કુમાર, આજે આપની સાથે ઉપાશ્રયે આવીશ જ. શાન્તિથી ધર્મકથા સાંભળીશ.. પરંતુ મારાં એક પ્રશ્નનું આપ સમાધાન કરશ?”
‘પૂછ પ્રશન.” “આપ અત્યારે પ્રભાતે કોનું ધ્યાન કરતાં હતાં?”
પરમાત્માનું.” “સાચું કહેજો, એ ધ્યાનમાં વચ્ચે વચ્ચે ચિંતામણિ નહોતી આવતી? ધ્યાનમાં ભંગ નહોતી કરતી?”
કામાંકુર, સાચી વાત એ છે કે મેં ચિંતામણિના મુખને જોયું નથી. મારી દૃષ્ટિ એના પગ ઉપર હતી, એનાં પાયલ ઉપર હતી. અને એ પણ મહાલયના પગથિયાં ઊતરી ગયા પછી વિસ્મૃતિના પાતાળકૂવામાં..'
ગજબના છો તમે મહારાજ કુમાર! આવી અદૂભુત કલાઓ જાણતાં છતાં સુરાસુંદરથી દૂર રહ્યાં છો...' કામાંકુરે મસ્તક ધુણાવવા માંડ્યું.
ત્યાં લલિતાગે આવીને, કુમારનો હાથ પકડયો. “આપ ચાલો, દુગ્ધપાનનો સમય થઈ ગયો છે. આ કામાકુરની વાતોમાં સાર નથી...”
સાચી વાત છે તારી. આપણે તો મારે સારું ભોવન' આટલું જ સમજીએ!”
હવે બસ કર. તારું ભાષણ સાંભળવા માટે ધારાથી ઉજૈનીનો લાંબો રસ્તો પડ્યો છે. સમજ્યો?”
ચારે મિત્રોએ દુગ્ધપાન કર્યું. સાથે સાથે ગરમ ગરમ બાજરીનો રોટલો અને એમાં ગોળ-ઘી નાખી, નાસ્તો કર્યો.
1332
ભાગ-૩ + ભવ નવમો
For Private And Personal Use Only