________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી ઊઠવાનું મોડું જ થાય !' પરિચારક ઉંમરમાં કુમાર કરતાં મોટો હોં. એની વાત સાંભળીને, કુમાર હસી પડ્યો. તેણે કહ્યું: “પહેલાં મારી પ્રતીક્ષા કરનારા એ યુવાનોને મારી પાસે મોકલ.. એ પછી હું પ્રભાતિક કાર્યોથી પરવારીશ...”
પરિચારકે જઈને પેલા ત્રણ યુવાનોને કુમારના ખંડમાં મોકલ્યાં. એક પછી એક ત્રણે યુવાનો કુમારના ખંડમાં પ્રવેશ્યાં. કુમારે મધુર સ્વરે સોનું સ્વાગત કરી, ભદ્રાસન પર બેસવાનો અનુરોધ કર્યો. ત્રણ યુવાન ભદ્રાસન પર ન બેઠા, જમીન પર બેસી ગયાં.
કહો, પ્રભાતવેળામાં આપના આગમનનું પ્રયોજન?” કુમારે જ વાતનો પ્રારંભ કર્યો.
લલિતાંગે કહ્યું: ‘મહારાજકુમાર, પહેલાં હું અમારાં ત્રણનો પરિચય આપું. પછી આગમનનું પ્રયોજન કર્યું.'
આ છે નગરશેઠનો પુત્ર કામાંકુર, કામાકુરના જમણા ખભા પર હાથ મૂકી, લલિતાગે એની ઓળખાણ આપી.
અને આ છે પુરોહિતપુત્ર અશોક.” અશોકના ડાબા ખભા પર હાથ મૂકી, તેનો પરિચય આપ્યો. અશોકે લલિતાંગનો પરિચય આપતાં કહ્યું: “આ છે મહામંત્રીનો પુત્ર લલિતાંગ! અને અમે ત્રણે મિત્રો છીએ... આજે મને અને કામાંકુરને લલિતાંગ જ આપનાં દર્શન માટે લઈ આવ્યો છે...' સમરાદિત્યે લલિતાંગ સામે જોયું. લલિતાંગે કહ્યું:
મહારાજકુમાર, મારા પિતાજીએ રાત્રિના સમયે મને કહ્યું કે ધારાનગરીમાં એક બહુશ્રુત આચાર્ય પધાર્યા છે. એમનું જ્ઞાન અદ્ભુત છે. જો રાજકુમાર સમરાદિત્યને તેઓનો પરિચય થઈ જાય. તો કુમારની આનંદની અવધિ ના રહે...
મેં મારા પિતાજીને કહ્યું: ‘આપ ધારાનગરી જાઓ. આચાર્યને ઉજ્જૈની નગરીમાં પધારવા વિનંતી કરી આવો...”
પિતાજીએ કહ્યું: “તેમને અહીં આવતાં મહિનાઓ પસાર થઈ જાય. જો તું કુમારની સાથે ધારા જાય તો કુમાર ખૂબ જ પ્રસન્ન થશે...' મેં હા પાડી. મારાં આ બે મિત્રોને રાત્રે જ વાત કરી. તેઓ પણ ધારા આવવા તૈયાર થઈ ગયાં... આ બંનેને ધર્મતત્ત્વનું શ્રવણ કરવામાં ખૂબ રસ છે! એટલે અમે ચાર અશ્વોને નીચે બાંધીને જ આવ્યાં છીએ.
જો આપની ઇચ્છા હોય તો આપણે ધારા જઈએ.' કુમારે કહ્યું: “અવશ્ય જઈએ! હું પ્રાભાતિક કાર્યોથી પરવારી લઉં, પછી આપણે નીકળીએ.”
૦ ૦ ૦
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૩૭
For Private And Personal Use Only