________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘કુમાર, તમે અને અશોક વિશ્રામ કરો. હું ઉપાશ્રયે જઈને આવું છું. કામાકુર એના કામે ઉપડી ગયો લાગે છે.'
કુમાર માટે અશોકે પાથશાળાના રક્ષક પાસેથી સુયોગ્ય પથારી કરાવી હતી. પાસે પાણીનું માટલું અને પ્યાલો મૂકાવી દીધાં હતાં. તેણે કુમારને કહ્યું :
'કુમાર, તમે આ ખંડમાં વિશ્રામ કરો. હું પાસેના જ ખંડમાં છું. કંઈ કામ હોય તો મને હાક મારજો.. આપની સેવામાં હાજર થઈ જઈશ!”
લલિતાંગ ઉપાશ્રયે જવા નીકળી ગયો. જ કુમાર સમરાદિત્ય વિશ્રામ લીધો.
છે અશોક પાંથશાળાની સામેના એક ઘટાદાર આમ્રવૃક્ષ નીચે ખાટલો નખાવી, પાંથશાળાના રક્ષક સાથે વાતો કરતો બેઠો.
0 0 0 મસ્થUM વૈલાઈ’ કહીને, લલિતાંગે ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. ‘ઘર્મનામ!' નો મધુર અને ગંભીર ધ્વનિ લલિતાંગના કાને પડ્યો. ઉપાશ્રયના મધ્ય ભાગમાં એક કાષ્ઠાસન પર આચાર્ય ગુણચંદ્રસૂરિ બિરાજમાન હતાં. તેમનો દેહ ઉજ્વલ હતો. ધવલ વસ્ત્રો પરિધાન કરેલાં હતાં. આસપાસ અનેક મુનિવરો જપ, સ્વાધ્યાયાદિ સંયમયોગોમાં નિરત હતાં. વાતાવરણ શાંત અને પવિત્ર હતું. ત્યાં સ્વચ્છતા હતી, શિસ્ત હતી, અને સાધનાની સુવાસ હતી. લલિતાગે પ્રથમ વાર જ આવા ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો હતો. તેણે ઉર્જનીમાં શીખી લીધું હતું. ઉપાશ્રયમાં કેવી રીતે પ્રવેશવું, કેવો શિષ્ટાચાર કરવો વગેરે.
તેણે આચાર્યદેવને ત્રણ ખમાસમણ દીધાં અને વિનયથી પૂછ્યું: ‘ગુરુદેવ, આપને અનુકૂળતા હોય તો એક વાત કરવા આવ્યો છું.” વત્સ, અનુકૂળતા છે. નિશ્ચિત બનીને વાત કર.”
ગુરુદેવ, અમે ચાર મિત્રો ઉજૈનીથી આવ્યા છીએ. તેમાં મુખ્ય છે મહારાજકુમાર સમરાદિત્ય. આપની જ્ઞાનપ્રતિભાનાં વખાણ ઉજ્જૈનીમાં સાંભળીને, મહારાજ કુમાર અહીં આવ્યા છે. તેમને જ્ઞાની પુરુષોનો સમાગમ ખૂબ ગમે છે. તેમને જ્ઞાની પુરુષ સાથે તત્ત્વચર્ચા કરવી ઘણી ગમે છે. જો એમને ગમતા જ્ઞાની પુરુષ મળી જાય છે તો તેઓ ખાવાપીવાનું પણ ભૂલી જાય છે...”
“ક્યાં છે ઉર્જનીના રાજ કુમાર?' આચાર્યદવે પૂછુયું. “તેઓ મિત્ર સાથે એક પાંથશાળામાં ઊતર્યા છે. આપ આજ્ઞા કરો. સમય આપો એટલે અહીં લઈ આવું.” -
“વત્સ, અત્યારે સમય છે. તું એમને લઈ આવી શકે છે... પરંતુ વત્સ, તેં તારો પરિચય તો આપ્યો નહીં.'
૧૩૧૨
ભાગ-૩ ૪ ભવ નવમો
For Private And Personal Use Only