________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ જ વખતે રાજમહેલના આંગણામાં બાંધેલા હાથીએ હષારવ કર્યો... હર્ષની ગર્જના કરી. સંધ્યા સમયની શરણાઈ રાજમહેલના દ્વારે વાગી ઊઠી.. મહેલની મહત્તરાએ આવીને કહ્યું: “હે યુવરાજ્ઞી, ધર્મના પ્રભાવથી જ જગતની શ્રેષ્ઠ-સુંદર વસ્તુઓ પ્રાપ્ત થાય છે, માટે મન દઢ રાખીને, ધર્મનું પાલન કરો.”
રત્નાવતીની નંદા નામની દાસી આવી. રત્નાવતીને પ્રણામ કરી, તેણે બે રત્નજડિત કંગન આપ્યાં અને કહ્યું: “જિનમંદિરે જવાનો સમય થયો છે...”
સાધ્વીજીએ કુમાર માટે જે વાત કરી, એ વાતની સાથે જ આ બધાં મંગલ બની આવ્યાં. શુભ શુકન થયાં. તેથી રત્નવત હર્ષિત થઈ. તેણીએ વિચાર્યું: “મારાં ગુરુણીએ કહેલી વાતમાં કોઈ શંકા નથી. સર્વ શુકનો શુભ થયો છે. આર્યપુત્રે અવશ્ય જિનવચન સાંભળ્યું છે. જે પ્રાપ્ત કરવા જેવું હતું તે પ્રાપ્ત કરી લીધું છે. મોક્ષમાર્ગ પ્રાપ્ત કરી લીધો છે. નહીંતર આ શ્રુતદેવી સમાન ભગવતીના મુખમાંથી પરમાનંદ શબ્દ કેમ નીકળે? અવશ્ય, આર્યપુત્ર કૃતાર્થ બન્યા છે!'
રત્નાવતીએ પુનઃ સાધ્વીને વંદના કરીને કહ્યું: “હે ભગવતી, આપને અહીં રાજમહેલમાં રાત્રિ પસાર કરવા કહ્યું કે નહીં? હું ઇચ્છું છું કે આજની રાત હું આપની પાસે જ પસાર કરું.. ને રાતભર આપની વાણી સાંભળ્યા કરું!'
હે ભદ્રે, હે ધર્મશીલે, જ્યાં તું હોય ત્યાં રહેવાનું અમને કહ્યું, તો પણ અત્યારે તો હું ઉપાશ્રયે જઇશ. અમારો ઉપાશ્રય નજીક જ છે. વળી બીજી વાર આવીશ!'
સંધ્યા થઈ ગઈ હતી. સાથ્વીને પોતાના સ્થાનમાં પહોંચી જવું આવશ્યક હતું. રનવતીનો આગ્રહ, એના શુભ ભાવોને અનુરૂપ હતો.
ધર્મલાભ!' સાધ્વીએ આશીર્વાદ આપ્યો ને આસનેથી ઊભા થયાં.
આપે મારા પર અનહદ ઉપકાર કર્યો. રત્નાવતીએ સાધ્વીનાં ચરણોમાં પડીને, વંદના કરી.
ફરીથી જરૂર પધારજો અહીં.. હું પણ પ્રતિદિન આપની પાસે ઉપાશ્રયમાં આવીશ... ઉપાશ્રય પાસે જ છે, એટલે આવવામાં કોઈ બાધા નહીં રહે...'
તું રોજ આવશે તો અમને આનંદ થશે.' ભગવતી, આપને ગમશેને મારા રોજ આવવાથી?” “અવશ્ય, હું તને આજથી મારી શિષ્યા માનું છું.' સાધ્વી રાજમહેલમાંથી નીકળી ગયાં. રત્નાવતી દ્વાર સુધી વળાવીને પાછી આવી.
ક
છે
કે
શ્રી સમરાદિત્ય મહાકથા
૧પ૧
For Private And Personal Use Only