________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુદેવની આજ્ઞા પામીને, તેમણે એવા શરીર-સંખના કરી કે તેમનું શરીર અસ્થિપિંજર જેવું બની ગયું. ત્યાર પછી ક્રોધ-માન-માયા અને લોભની સંલેખના કરી. તેઓ પ્રાય: અકષાયી બની ગયાં. છે ક્રોધનું નિમિત્ત મળવા છતાં ક્રોધ નથી કરતાં. -
માનનાં નિમિત્ત મળવા છતાં માન નથી કરતા. માયાનાં કારણો મળવા છતાં માયા નથી કરતા. લોભનું નિમિત્ત મળવા છતાં લોભ નથી કરતા. માત્ર આત્મામાં રમણતા કરે છે! મૌનપણે સાધનારત રહે છે.
એક દિવસ સાધ્વી રત્નાવતીએ, એમનાં ગુરુણીને વિનયથી કહ્યું: “હે ભગવતી, મારી ઇચ્છા હવે અનશન કરવાની છે. જો આપ આજ્ઞા આપો તો...'
સાધ્વી રનવતીએ બાર વર્ષ સુધી શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. સાથે સાથે વિવિધ તપશ્ચર્યા કરી હતી. અનશનની વાત તો દીક્ષાના દિવસથી એમના મનમાં રમતી હતી. કારણ કે ગુરુદેવે કહ્યું હતું – “સાધ્વી સુસંગતાએ એક મહિનાનું અનશન કરી, સદ્ગતિ પ્રાપ્ત કરી છે...” ત્યારથી એના મનમાં અનશન' રમતું હતું.
સાધ્વીજી સૂવ્રતાએ કહ્યું: “હ પુણ્યશાલિની, જેને અનશન કરવું હોય, તેમણે ગુરુદેવ આચાર્યદેવની અનુમતિ લેવી પડે અને એમની પાસે જ અનશન સ્વીકારવું પડે.'
એટલે તેઓ વિહાર કરીને, આચાર્યદેવ પાસે આવ્યાં. આચાર્યદેવને વંદના કરી, વિનયથી પૂછયું:
ગુરુદેવ, મારી ઇચ્છા અનશન કરવાની છે.” ગુરુદેવે આંખ બંધ કરી. રનવતીનું ભવિષ્ય જોયું. તેઓ આંખો ખોલીને કહ્યું: ‘તમે અનશન લઈ શકો છો.”
ક્યારથી? આઠ દિવસ પછી.' જેવી આપની આજ્ઞા.”
જોતજોતામાં આઠ દિવસ પસાર થઈ ગયા. સાધ્વી રત્નવતએ અમશન સ્વીકાર્યું... તેમને પણ એક મહિનામાં અનશન સિદ્ધ થયું. સમાધિમૃત્યુ થયું. દેવલોકમાં ઉત્પન્ન થયાં.
૦ ૦ ૦
શ્રી સમરાદિત્ય મહાકથા
૧ર૮૭
For Private And Personal Use Only