________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિરાજ ગુણચંદ્ર ગુરુદેવને પૂછ્યું : “ભગવંત, ભગવતી રત્નપતીએ માત્ર આત્મશુદ્ધિની ભાવનાથી અનશન કર્યું હતું?'
હા, તેણી આરાધક બનીને ગઈ...” ‘તેના મનમાં કોઈ જડ-ચેતન પદાર્થ પ્રત્યે આસક્તિ નથી રહી ગઈ ને?” રહી છે!' કઈ વસ્તુ પ્રત્યે?”
તારા પ્રત્યે. દેવલોકમાં એ તને મિત્ર દેવરૂપે મળશે... અને તારા આગામી છેલ્લા ભવમાં પુનઃ એ તારી પત્ની બનશે.. તારું નિર્વાણ થશે... એનો છેલ્લો આસક્તિ તંતુ તૂટી જશે.. એ સર્વ કર્મોનો નાશ કરી... તારી પાછળ જ મોક્ષને પ્રાપ્ત કરશે.'
પ્રભો, જો એના મનમાં આસક્તિ ના રહે તો તેની આ જ જન્મમાં મુક્તિ થાત ને?'
થઈ શકત, તેની આરાધના ઉત્કૃષ્ટ હતી...' તેની મારાં પ્રત્યેની રાગદશા દૂર ના થઈ...” અપ્રશસ્ત રાગદશા ન હતી, પરંતુ પ્રશસ્ત રાગ હતો.' “એટલે? અપ્રશસ્ત રાગ-દ્વેષ તો દુર્ગતિમાં લઈ જતાં હોય છે...' મુનિવર ગુણચંદ્ર ગંભીર વિચારમાં ડૂબી ગયા: “મારે મારી આત્મભૂમિમાંથી રાગદ્વેષનાં મૂળ ઊખેડી નાખવાં છે.' મનોમન તેમણે નિર્ણય કર્યો... અને એકાકી વિહારની પૂર્વભૂમિકા તૈયાર કરવા માંડી.
ગુરુદેવે ગુણચંદ્રમુનિને એકાકી વિહારની અનુમતિ આપી. તેમણે જિનકલ્પ'ની જેમ જ જીવન જીવવા માંડ્યું. તેમનું અપૂર્વ આત્મવીર્ય ઉલ્લસિત થયું હતું.
૧૨૮૮
ભાગ-૩ * ભવ આઠમો
For Private And Personal Use Only