________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાનમંતર અધિકારીને અને બીજા સૈનિકોને લઈને, જ્યાં મુનિરાજ ઊભાં હતાં, ત્યાં આવ્યો. મુનિરાજ સામે આંગળી ચીંધીને, એણે કહ્યું: ‘ત્યાં ખૂણામાં જ ઊભો છે, એ ચોર છે...”
પરત એ ચોર જ છે, એનો નિર્ણય કરવો કેવી રીતે? એણે આસપાસમાં ક્યાંક ઝવેરાત છુપાવ્યું હશે, તમે તપાસ કરો..”
સૈનિકો સાથે અધિકારી મુનિરાજની પાસે ગયો. તેણે મુનિરાજને જોયા” ને કરી ગયો! ‘અહો, કેવી પ્રસન્ન મુદ્રા છે? કે તપસ્વી છે, ને તેજસ્વી દેહ છે? કેવું સ્થિર મનથી ધ્યાન કરે છે! આ પુરુષ ચોરીનું કાર્ય કરે ખરા? ન જ કરે.
અધિકારી એક વાર તો નિર્ણય કરી બેઠો કે “આ પુરુષ ચોરી ના જ કરે. પરંતુ એક સૈનિકે કહ્યું: ‘કપટી માણસને બધા જ વેશ ભજવતાં આવડે. આપણે આ માણસને સજા કરવા પહેલાં, ચોરીનો માલ શોધીએ? તેઓ આસપાસ શોધવા લાગ્યાં. વારમંતર દૂર ઊભો જ હતો, તેણે પેલી ઝાડી તરફ ઇશારો કર્યો. ઝાડીમાંથી ઝવેરાત મળી આવ્યું! સૈનિકો ઝવેરાત લઈને, અધિકારી પાસે આવ્યા. ઝવેરાત અધિકારી સામે મૂકીને બોલ્યા: “સાચે જ આ ચોર છે. તેણે ઝાડીમાં ચોરીનો માલ સંતાડેલો... અમે લઈ આવ્યાં. ” અધિકારી મુનિરાજ પાસે ગયાં. તેમને પૂછ્યું:
તું કોણ છે? સાચું બોલ, આ ચોરી તે કરેલી છે ને?
મુનિરાજ તો ધર્મધ્યાનમાં લીન હતાં. તેમણે અધિકારીને જોયો ન હતો કે એના પ્રશ્નને સાભળ્યો પણ ન હતો,
અધિકારીને મુનિનો ઉત્તર ના મળ્યો. એ ક્રોધે ભરાયો. એણે મુનિરાજના મુખ પર જોરથી મુક્કો માર્યો... છતાં મુનિરાજ મૌન રહ્યાં... બીજા સૈનિકે મુનિરાજ પર લાત ઝીંકી દીધી... છતાં મુનિરાજ શાંત રહ્યા.
વાનમંતર દૂર ઊભો ઊભો, મુનિરાજની થતી કદર્થના જોઈને, ખૂબ ખુશ થતો હતો. તેણે રૌદ્રધ્યાનના કારણે સાતમી નરકનું આયુષ્યકર્મ બાંધી લીધું.
અધિકારીએ સૈનિકોને કહ્યું: ‘તમે અહીં ઊભા રહો, આ ચોર અહીંથી ભાગી ના જાય. હું મહારાજાને જઈને નિવેદન કરું છું. તેઓને અહીં જ લઈ આવું છું.”
સૈનિકો મુનિરાજને ઘેરીને, ઊભા રહી ગયાં. અધિકારી મહારાજા (એ નગરના) વિશ્વક્સેન પાસે ગયો ને બધી વાત કરી. ‘હવે આપ જ ત્યાં પધારો અને યોગ્ય લાગે તે કરો... અમે ઘણું પૂછયું પણ તે જવાબ ન આપતાં નથી...”
રાજા તરત જ ઘોડા પર બેઠો અને મુનિરાજ પાસે આવ્યો. તેણે મુનિરાજને જોયા, જોતાં જ ઓળખી લીધા. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૨:૧
For Private And Personal Use Only