________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે પુરુષો સંસાર પ્રત્યે વિરક્ત બની ધર્મ-કલ્પવૃક્ષની છાયામાં પહોંચી જાય છે.
પરંતુ જેઓ મૂઢ પુરુષ હોય છે, તેઓને ધર્મનું કલ્પવૃક્ષ દેખાતું જ નથી. તેઓ પોતાના સ્વાર્થને સાધવા માટે, આ નીચ પુરુષોની સેવા કરે છે.
જુદા જુદા વેશ ભજવે છે. જ ભયંકર યુદ્ધ કરે છે. ક બંધુઓનો ઘાત કરે છે. છે મિત્રોનો વિશ્વાસઘાત કરે છે.
પોતાની વૈષયિક તૃષ્ણાઓને સંતોષવા, તેઓ કયું અકાર્ય નથી કરતાં? વારંવાર કરે છે અકાર્યો! છતાં અકાર્યો-પાપાચરણ કરવાથી એમને ગમતાં ભોગસુખોની પ્રાપ્તિ થાય જ છે, એવો નિયમ નથી. પાપકર્મના ઉદયો એમને પ્રિય વસ્તુઓની પ્રાપ્તિ નથી થવા દેતાં.. વીજળીના ઝબુકા જેવું જીવન જાણવાં છતાં મૂઢ જીવો એવી રીતે જીવે છે કે જાણે તેઓ અજરામર હોય! અનેક જાતનાં પાપકર્મો કરીને, એનાં કડવાં ફળ ભોગવતા સંસારમાં ભટકે છે અને આ સંસાર દુઃખરૂપ છે, દુઃખફલક છે અને દુઃખોની જ પરંપરાવાળો છે. નરકમાં ભયંકર દુઃખો આપણા જીવે કેવા ભોગવ્યાં છે, તે તમે જાણો છો રાજન? આપણા જીવે નરકમાં એક વાર નહીં, અનંત વાર નરકમાં દુઃખો સહ્યાં છે!
છે અસંખ્ય વર્ષો સુધી નરકમાં જીવ વજશિલા, પશિલા, વગેરે પર અફળાયા કરે છે, ભેદાયા કરે છે.
નરકનાં મોટાં હાંડાઓમાં, કુંભમાં અને કડાવામાં તીવ્ર અગ્નિમાં જીવ શકાય છે, રંધાય છે.
યંત્રોમાં કરવતથી, તીક્ષ્ણ શસ્ત્રોથી કપાય છે, છેદાય છે. ક અતિ ભયંકર વજમુખવાળાં જાનવરો જીવને ખાઈ જાય છે... છતાં જીવ મરતો નથી.
જીવની આંખો ફોડી નાખી, તેને પશુરૂપે બનાવી, ગાડામાં જોડી દોડાવાય છે.
નરકના પરમાધામીઓ જીવના ઝીણા ટુકડાઓ કરી દશે દિશાઓમાં ફેંકે છે. જીવ ત્યાં તરફડે છે.
છેજીભ ખેંચી કાઢીને બોલવા માટે ત્રાસ આપે છે. પ્રાણ કંઠે આવી જતા હોય
૧૨૯૪
ભાગ-૩ * ભવ આઠમો
For Private And Personal Use Only