________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષાનો શુભ દિવસ, શુભ મુહૂર્ત આવી ગયું. ક આચાર્યદેવ વિજયધર્મે રાજા ગુણચંદને અને રાણી રત્નપતીને ચારિત્રધર્મ આપી દીધો. આ બંને સાધુ-સાધ્વી બની ગયાં.
આચાર્યદેવ સાધુ સમુદાય સાથે વિહાર કરી ગયા. - આર્યા સુવ્રતા પણ સાધ્વી સમુદાય સાથે અન્યત્ર વિહાર કરી ગયાં, છે કાશીનરેશે ભવ્ય વિદાય આપી, પરંતુ તેમના મન પર આ દીક્ષા પ્રસંગે ગહન છાપ મૂકી હતી. એ દિવસથી તેમના મનમાં નવું જ ચિંતન, નવા જ વિચારો શરૂ ગયાં હતાં. “એક મહાન રાજા સ્વેચ્છાથી રાજ્યનો ત્યાગ કરી, સાધુ બની શકે છે...' આ વાતે કાશીનરેશના હૃદયમાં તોફાન પેદા કરી દીધું હતું. એવી જ સ્થિતિ મહારાણી સુષમાદેવીની થઈ હતી. તેના હૃદયમાં સાધ્વી રત્નપતીનું આગવું સ્થાન બની ગયું હતું. ત્રણ દિવસ સુધી રાજા-રાણી પ્રતિદિન સાધ્વીજીની પાછળ પાછળ રથમાં બેસીને ગયા. દર્શને વંદન કરી, એમને સત્સમાગમ કર્યો.
નૂતન ગુણચંદ્રમુનિએ ગુરુદેવનાં ચરણોમાં બેસીને, વિનયથી જ્ઞાનપ્રાપ્તિ કરવા માંડી. સંયમ-યોગોની આરાધના શીખવાં માંડી. અપ્રમત્તભાવે જ્ઞાન-ધ્યાનની આરાધનામાં લીન બન્યા.
બાર વર્ષ સુધી ગુરુકુળવાસમાં રહીને, તેમણે ઉત્કૃષ્ટ સંયમધર્મની આરાધના કરી. તેઓએ ધર્મગ્રંથોમાં એકાકી વિહારની અને ઉત્કૃષ્ટ કોટિની ચારિત્રધર્મની આરાધનાની વાતો સાંભળી. તેમને ઇચ્છા થઈ આવી. તેમણે ગુરુદેવને એક દિવસ વાત પણ કરી.
“ગુરુદેવ, આપ મારાં માટે યોગ્ય સમજો તો હું શરીર-સંલેખના અને કષાયસંખના કરું?”
વત્સ, તમે કરી શકો છો...” જો એ બે સંખનામાં સફળતા મળે, તો પછી એકાકી વિહાર કરી શકું?' કરી શકશો...'
ગુરુદેવ, ઘોર તપશ્ચર્યા કરીને મારે કર્મોની નિર્જરા કરવી છે. મારા આત્માને કર્મરહિત કરવો છે...”
‘તમે કરી શકશો. તમારું આત્મવીર્ય ઉલ્લસિત થયું છે. તમે ઉત્કૃષ્ટ સંયમજીવનની આરાધના કરી શકશો.”
ભાગ-૩ ભવ આઠમો
૧૮૬
For Private And Personal Use Only