________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વેચ્છાથી સ્નાન કરી રહ્યા છે. વસ્ત્રપ્રક્ષાલન કરી રહ્યા છે. સુખ અનુભવ કરી રહ્યાં છે!
એકની એક વસ્તુ છે. એ જ નદી છે. ત્યારે કેવી હતી? આજે કેવી છે. વસ્તુની અવસ્થા બદલાય એટલે, રાગ-દ્વેષ બદલાય છે. જેના પર રાગ હોય, એના પર દ્વેષ થાય, જેના પર દ્વેષ હોય, એના પર રાગ થાય... ખરેખર તો કોઈ પણ વસ્તુ પર રાગ દ્વેષ કરવા જેવા નથી.'
રાણી રનવતી સાંભળતી હતી. ગંભીરતાથી, નદીને જોતાં જોતાં ચિંતન કરતી હતી. એ મૌન રહી એટલે ગુણચંદ્ર રાજાએ પૂછયું: ‘દેવી, મારી વાત બરાબર ના લાગે?”
બરાબર જ છે વાત. હું એ જ વાતને વ્યાપકરૂપે વિચારતી હતી. વસ્તુની અવસ્થા મુજબ મનુષ્ય એને ચાહે છે કે ધિક્કારે છે. વસ્તુ એની એ હોય છે. નવી જૂની થાય છે, જૂની તૂટે છે ને નવી થાય છે... મનુષ્ય એ રીતે રાગ કે દ્વેષ કરતો
વ્યર્થ છે બધા રાગ-દ્વેષ. વ્યર્થ છે બધા પ્રેમ અને રોષ. વ્યર્થ છે બધી રતિ અને અરતિ. સાચ્ચે જ, આત્માના ચિંતનમાં જ ડૂબેલા રહેવું જોઈએ. રાજા-રાણી બંને વિરક્ત બન્યાં. રથમાં બેસીને, રાજા-રાણી મહેલમાં આવ્યાં,
નાનકડો વૃતિબળકુમાર જાગી ગયો હતો... તેણે રથમાંથી ઊતરતી માતાને જોઈ... તે દોડતો આવીને, રનવતીને વળગી પડ્યો કે રત્નપતીના હૃદયમાં પુત્રસ્નેહનો ઝરો ફૂટી નીકળ્યો. કુમારને ઊંચકીને, એના પર સ્નેહની ઝડી વરસાવી દીધી! કમારને લઈને, રત્નાવતીએ મહેલમાં પ્રવેશ કર્યો. મહારાજા ગુણચંદ્રના મુખ પર સ્મિત રમી ગયું... “કેવી પ્રબળ છે રાગ-દ્વેષની આ રમત...” તેઓ સ્વગત બોલ્યા અને પોતાના ખંડ તરફ ચાલ્યાં ગયાં. જ પ્રભાતિક કાર્યોથી પરવારી, તેઓ રાજસભામાં ગયા. રનવતી પણ સ્નાનાદિથી પરવારીને, કુમારને તૈયાર કરવામાં પડી.
૦ ૦ ૦ ધૃતિબળકુમાર ૧૦ વર્ષનો થયો.
મહારાજા મૈત્રીબળને અને મહારાણી પદ્માવતીને દીક્ષા લીધે ૧૦ વર્ષ થઈ ગયાં. ગુણચંદ્ર-રત્નાવતીનો સંસાર કોઈ જ વિઘ્ન વિના અને કોઈ જ ઉતાર-ચઢાવ વિના શાન્ત સરિતાની જેમ વહી રહ્યો હતો. પ્રજા સુખી હતી. રાજ્ય ધન-ધાન્યથી શ્રી સમરાદિત્ય મહાકથા
૧૨૭૯
For Private And Personal Use Only