________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘ભગવંત, આપ અંતર્યામી છો... બધું જ જાણો છો... ગુરુદેવ, અમે બંને સંસાર પ્રત્યે વિરક્ત છીએ. ઘણાં વર્ષોથી ચારિત્રધર્મ સ્વીકારવાની અમારી ભાવના છે. કુમાર ધૃતિબળનો રાજ્યાભિષેક કરી, અમે આપની પાસે ચારિત્રધર્મ સ્વીકારવા આવ્યાં છીએ. ગુરુદેવ, જો અમારામાં યોગ્યતા જુઓ તો અમને આપનાં ચરણોમાં ચારિત્ર આપી... કૃપા કરો...’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મહાનુભાવ, તમારી ભાવના ઉત્તમ છે. આ મનુષ્યજીવનને સફળ કરવાનો એકનો એક માર્ગ છે... વત્સ, તમે પણ પિતાનો જ માર્ગ ગ્રહણ કરવા તત્પર બન્યા છો... એ યોગ્ય જ છે. મહારાણીએ પણ સુયોગ્ય નિર્ણય કર્યો છે... પરંતુ...'
‘શું ગુરુદેવ? મહારાણી માટે બીજી કોઈ આજ્ઞા છે?’
‘ના, એ પણ ચારિત્રધર્મ લઈ શકશે. પરંતુ એનાં ગુરુણી સાધ્વી સુસંગતાએ એક મહિનાનું અનશન કરી, સદ્ગતિ પ્રાપ્ત કરી છે...’
રાજા-રાણી બંનેની આંખો ભીની થઈ ગઈ...'
‘રાજન, તેઓ પંડિતમૃત્યુ પામ્યાં છે. સમાધિમૃત્યુ પામીને, મૃત્યુને મહોત્સવ બનાવી ગયાં છે માટે શોક ના કરશો... એમને યાદ કરીને, એમના ઉપદેશને યાદ કરજો. તેઓ કહેતાં હતાં કે ગુણચંદ્ર અને રત્નવતી ચારિત્રધર્મનો સ્વીકાર કરશે
જ.'
‘ભગવંત, અમે એ માટે જ આવ્યાં છીએ...’
‘તમે શ્રેષ્ઠ નિર્ણય કર્યો છે.’
એ જ વખતે કાશીનરેશે, રાજા ગુણચંદ્રને પ્રણામ કરીને કહ્યું: ‘હે અયોધ્યાપતિ, મારી આ ધરતી ધન્ય બનશે, જ્યારે કાશી દેશની પ્રજાને જાણ થશે કે અર્યાધ્યાપતિ મહારાજા ગુણચંદ્ર સપરિવાર અહીં દીક્ષા લેવા પધાર્યા છે... ત્યારે પ્રજાના આનંદની સીમા નહીં રહે. હે રાજેશ્વર, મારા મહેલે પધારો. આપ આજે મારા અતિથિ બની, મને કૃતાર્થ કરો...'
રાજા ગુણચંદ્રે આચાર્યદેવની સામે જોયું. કાશીનરેશે કહ્યું: ‘ગુરુદેવ, દીક્ષા મહોત્સવ કરવાની મને અનુમતિ આપવા કૃપા કરો... એ રીતે દીક્ષાની અનુમોદના કરવાનો મને અવસર મળશે...’
ગુરુદેવે અનુમતિ આપી.
અયોધ્યાના રાજપરિવારને કાશીનરેશ પોતાની સાથે જ રાજમહેલમાં લઈ ગયાં. તેઓને ઊતરવા માટે એક સ્વતંત્ર મહેલ આપ્યો. તેઓને કોઈ જ તકલીફ ના પડે, તેની વ્યવસ્થા કરી. કાશીનરેશે ૨ાજા ગુણચંદ્રને અને રાણી રત્નવતીને પોતાની સાથે શ્રી સમરાદિત્ય મહાકા
૧૨૮૩
For Private And Personal Use Only