________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક માત્ર ધૃતિબળકુમાર માટે વિરક્ત હૃદયનાં રાજા-રાણીને સંસારવાસમાં વર્ષો પસાર કરવા પડ્યાં. કુમાર અઢાર વર્ષનો થયો. સુશીલ અને સંસ્કારી યશકીર્તિ નામની રાજકન્યા સાથે લગ્ન કર્યા.
રાજા-રાણીએ ગૃહત્યાગ કરવાનો નિર્ણય કર્યો. કે રાજકુમારનો રાજ્યાભિષેક કર્યો. જ આચાર્યદેવ વિજયધર્મ ક્યાં બિરાજે છે; મંત્રીઓને મોકલીને તપાસ કરાવી.
જ આચાર્યદેવ એ સમયે કાશદેશની રાજધાની વારાણસીમાં બિરાજમાન હતાં, પાકા સમાચાર મળી ગયાં.
રાજા-રાણીએ વારાણસી જઈને, ચારિત્રધર્મ સ્વીકારવાનો નિર્ણય કર્યો.
પ્રધાનો, સામંત રાજાઓ, નગરશ્રેષ્ઠીઓ વગેરે સાથે રાજા-રાણીએ વારાણસી તરફ પ્રસ્થાન કર્યું. અયોધ્યાવાસીઓએ આંસુભીની આંખે એમનાં પ્રિય રાજા-રાણીને વિદાય આપી. સેનાપતિને રાજ્ય ભળાવીને, ધૃતિબળ રાજા અને યશકીર્તિ રાણી પણ સાથે જ ચાલ્યાં.
પંદર દિવસની યાત્રા કરીને, સહુ વારાણસી પહોંચ્યાં.
વારાણસીના બાહ્ય પ્રદેશમાં નંદન-ઉદ્યાનમાં આચાર્યદેવ બિરાજમાન હતાં. સહુ ત્યાં પહોંચ્યાં. ઉદ્યાનના એક ભાગમાં વાહનો મૂકીને, તેઓ આચાર્યદેવ જ્યાં હતાં, ત્યાં ગયાં. એ વખતે આચાર્યદેવ પર્ષદામાં ધર્મોપદેશ આપતાં હતાં. સહુ પર્ષદામાં બેસી ગયાં. આચાર્યદેવની દૃષ્ટિ સાથે રાજા ગુણચંદ્રની દૃષ્ટિ મળી, જ્ઞાની... અંતર્યામી ગુરુદેવે જાણી લીધું કે અયોધ્યાપતિ રાજા ગુણચંદ્ર સપરિવાર શા માટે આવ્યાં છે.
પર્ષદામાં કાશીનરેશ પણ સપરિવાર ધર્મોપદેશ સાંભળવા બેઠાં હતાં. ઉપદેશ પૂર્ણ થયો. કાશીનરેશ ઊભા થઈને, ગુરુદેવના ચરણસ્પર્શ કરવા નજીક આવ્યાં.
રાજન, અયોધ્યાપતિ રાજા ગુણચંદ્ર સપરિવાર અહીં આવ્યાં છે. ત્યાં રાજા ગુણચંદ્ર ગુરુદેવ પાસે આવીને પણ વંદના કરી. રત્નવતીએ પણ વંદના કરી. ગુરુદેવની સુખશાતા પૂછી. ગુરુદેવે, જાણવા છતાં સપ્રયોજન પૃચ્છા કરી:
રાજન, આટલે દૂર પરિવાર સાથે આવ્યાં છો. કોઈ ખાસ પ્રયોજન?”
૧૮૨
ભાગ-૩ ૪ ભવ આઠમાં
For Private And Personal Use Only