________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજય મેળવ્યો, તે રાજા પણ સાથે આવ્યો છે.”
રત્નવતીએ પાસે જ બેઠેલાં સાધ્વીજીના ઉત્સંગમાં માથું મૂકી દીધું. હર્ષનાં આંસુઓથી સાધ્વીજીનાં વસ્ત્ર ભીનાં થઈ ગયા. એ ચંદ્રસુંદરીને પ્રીતિદાન આપવાનું પણ ભૂલી ગઈ. સાધ્વીજીએ કહ્યું: “આ દાસી તારી રાહ જુએ છે!' તરત જ રનવતીએ ગળામાંથી સોનાનો હાર કાઢીને, દાસીને આપી દીધો! દાસી દોડી ગઈ. “રત્નાવતી, તારે મહેલમાં નથી જવું?' જઈશ, એમને આવી જવા દો!' પરંતુ રાજકુમાર તારા ખંડમાં જશે ને?'
ના જી, પિતાજી તેમને વાત કરશે! હું પિતાજીની (સસરાની) અનુજ્ઞા લઈને, અહીં આવું છું. અહીંથી જ્યારે મહેલમાં જાઉં છું ત્યારે સીધી પિતાજી પાસે જાઉં છું.. અને અહીંની બધી વાતો તેઓને સંભળાવું છું. તેમણે મને કહેલું છે કે તું સાધ્વીજી પાસે જે શીખે, તે મને કહેવા, મારી પાસે આવવાનું!'
ખરેખર, મહારાજાનો આત્મા હળુકર્મી' છે. કર્મોનો ઘણો ભાર ઊતરી ગયેલો છે...” “તો શું આ જ ભવમાં તેઓ સર્વ કર્મોનો નાશ કરીને, મોક્ષમાં જશે?'
“ના, તેઓ સંસારત્યાગ જરૂર કરશે... અને સ્વર્ગમાં જશે. અરે, મને તો મહારાણી વધુ હળુકર્મી લાગે છે. એમની મુક્તિ નિકટ છે. વચ્ચે માત્ર એક 5 દેવનો ભવ છે!”
ખરેખર, મને પણ મહારાણી ખૂબ પ્રિય લાગે છે. બહુ જ સરળ અને પવિત્ર આત્મા છે એમનો!'
રત્નાવતી, તું પુણ્યવંતી છે. તેને સરળ-પ્રેમાળ અને સ્નેહ-વાત્સલ્યભર્યાં સાસુસસરા મળ્યાં છે! નહીંતર આ દુનિયામાં મોટા ભાગે પુત્રવધૂઓને સાસુ-સસરાનો ત્રાસ વધારે હોય છે!
ભગવતી, સસરા કરતાં સાસુનો ત્રાસ વધારે હોય છે... અહીંના મોટા ઘરની પુત્રવધૂએ મને ફરિયાદ કરી હતી. તેની સાસુનો ત્રાસ ઘણો જ હતો. મેં એને બોલાવીને, ખૂબ સમજાવી ત્યારે એ માની છે. હવે પુત્રવધૂને ત્રાસ નથી આપર્ટી...”
ચંદ્રસુંદરી પાછી આવી. તે દોડી આવી હતી. એની છાતી ધમણની જેમ ફૂલતી હતી. તે બોલી:
દેવી, મહારાજ કુમારનો નગરપ્રવેશ થઈ ગયો છે.! મેં એના માથે... પીઠ... પર અને છાતી પર હાથ ફેરવીને કહ્યું: ચંદા, તું બે ક્ષણ જમીન પર બેસ. શ્વાસને બેસવા દે...' પરંતુ મારે મહારાજકુમારને સમાચાર.. ‘તેઓ સીધા અહીં જ આવશે!'
ભાગ-૩ + ભવ આઠમો
૧રપ૬
For Private And Personal Use Only