________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીધા રાજમહેલે નહીં જાય?”
ના, પિતાજીએ જ તેમને કહી દીધું હશે કે રનવતી અડધી સાધ્વી બની ગઈ છે! એટલે તેઓ સીધા અહીંજ આવશે! કદાચ હું પૂરી સાધ્વી ના બની જાઉ”
“ઓહો! એમ વાત છે? તમે પૂરાં સાધ્વી બની જાઓ તો પછી કુમાર ઘરમાં રહે? ના રે ના, એ પૂરા સાધુ બની જાય!'
સાધ્વીજી સહિત દરેક હસી પડ્યાં. “તેં મહારાજકુમારનો ખંડ સ્વચ્છ કર્યો કે?” રનવતીએ ચંદ્રસુંદરીને પૂછ્યું..
“અરે, તમે પધારીને જુઓ તો ખરાં.. સ્વચ્છ કરીને કેવો શણગાર્યો છે! જેવો તમારાં લગ્ન...” રત્નાવતીએ બોલતી દાસીના મુખ પર આંગળી મૂકી દીધી.
ભ, તને દાસી સારી મળી છે...' ‘ભગવતી, અહીં ઉપાશ્રયમાં રાખું એને મારું તો માથું ખાઈ જાય છેમહેલમાં?” ‘હું ભોજન ખાઉં છું રોજ, કોઈનાં માથા નહીં!” ચંદ્રસુંદરી લટકાથી બોલી.
ત્યાં તો વાજિંત્રોના નાદ સંભળાયાં. રાજકુમારની સવારી નજીક આવી ગઈ.
પિતાજીની સાથે પહેલાં રાજકુમાર મહેલમાં ગયો. પરંપરા મુજબ રાજકુમારનાં વધામણાં થયાં. મહારાજાએ જલદી બધી વિધિઓ આટોપી લીધી.
કુમાર, તું શીધ્ર નજીકના સાધ્વીના ઉપાશ્રયે જા. રનવતીને પાંચ ઉપવાસનું પારણું કરાવવાનું છે આજે! એ તારું મુખદર્શન કરીને જ ઉપવાસ છોડવાની છે..'
રાજકુમારે વિધિપૂર્વક ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. રનવતીએ ઊભાં થઈ, સામે જઈને, પ્રણામ કર્યા. એક જ ક્ષણ રત્નાવતી સામે નજર નાખી, કુમારે સાધ્વીજીને “મર્થીએણ વંદામિ’ કહ્યું. બે હાથ મસ્તકે લગાડીને, મસ્તક નમાવીને વંદના કરી. કુમાર સાધ્વીજીની સામે વિનયથી બેઠો. તેણે કહ્યું:
હે ભગવતી, મારો કેવો મહાન પુણ્યોદય કે મને આચાર્યશ્રી વિજયધર્મે પ્રતિબોધ કર્યો અને મારી દેવીને આપે પ્રતિબોધ કરી.”
દેવીને કહેલું કુમારને જિનવચનની પ્રાપ્તિ થઈ છે! ખેર, બધી વાતો પછી કરીશું. પહેલાં કુમાર, તમે રત્નાવતીને પારણું કરાવો... એની પ્રતિજ્ઞા આજે પૂર્ણ થઈ છે...'
રત્નવતી પાછળ જ બેઠી હતી. કુમારે પાછળ મુખ કરીને કહ્યું: “દેવી, ચાલો આપણે મહેલમાં જઈએ...” રત્નાવતીને લઈ, સાધ્વીજીને વંદના કરીને, કુમાર મહેલમાં આવ્યો.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧રપ૭
For Private And Personal Use Only