________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવી, એમના માટે તારી ઇચ્છા મુજબ ઘર બંધાવી આપીશું. એ લોકોને આપણે આશ્રય આપીશું...”
બહુ સરસ! એ કામ પહેલાં કરવા જેવું છે. ચાલો, આપણે રાજમહેલે પહોંચી જઈએ.. પછી આપ પ્રજાજનોના આશ્રય માટે પ્રયત્ન કરજો...” વિગ્રહે તરત જ હાથીને નગર તરફ વાળ્યો.
૦ ૦ ૦ જ્યારે પદ્માવતીએ જાણ્યું કે રત્નાવતી નદીનાં પૂર જોવા ગઈ હતી, તેણીએ રત્નાવતીને કહ્યું: “બેટી તારે, આવાં ભયાનક દૃશ્ય આ સ્થિતિમાં ના જોવાં જોઈએ. એનાથી પેટમાં રહેલા જીવ ઉપર ખરાબ અસર થાય...”
“મારી ભૂલ થઈ માતાજી! જોકે આર્યપુત્ર તો ના પાડી હતી. એમને આગ્રહ કર્યો એટલે તેઓ મને લઈ ગયાં... હવે એવા ભયજનક દશ્યો નહીં જોઉં...' રત્નાવતીએ કહ્યું :
બેટી, જેમ ભયજનક દૃશ્યો નહીં જોવાનાં, એવી રીતે શકજનક દૃશ્યો પણ ના જોવાય... શોક કરાય પણ નહીં અને જોવાય પણ નહીં. વત્સ, એ જોવાથી ગર્ભસ્થ શિશુ પણ શોકપ્રકૃતિનો બને. ભયજનક દૃશ્ય જોવાથી એ ભયાકુલ-પ્રકૃતિનો બને. આ બધી વાતોની સાવધાની રાખવાની છે. બેટી, એટલું યાદ રાખવાનું કે તારા પેટમાં અયોધ્યાના ભાવી રાજા છે! એના સંસ્કારોનું ઘડતર અત્યારથી જ કરવાનું
મેં સાંભળ્યું છે કે થોડા દિવસોમાં સાધ્વી સુસંગતા સાધ્વીપરિવાર સાથે અયોધ્યા પધારી રહ્યાં છે. પછી તો તારો સત્સમાગમ શરૂ થઈ જશે!'
“મારાં એ ગુણી અહીં પધારી ગયા પછી મારાં હર્ષની સીમા નહીં રહે!” ‘પણ હર્ષને પણ વશ રાખવાનો! આ સ્થિતિમાં વધારે પડતો હર્ષ શત્રુનું કામ કરે!' “ઓહો... માતાજી, હર્ષ પણ શત્રુ બને?” હા, હર્ષ હસાવે ને? માતા વધારે હસે તો આવનાર પુત્રના હોઠ-દાંત કાળા
બને!'
ના, ના, માતાજી, હું વધારે નહીં હસું માત્ર સ્મિત જ કરીશ.... માતાજી, આ રીતે આપ મને સમજણ આપતાં રહો છો, તે આપનો મોટો ઉપકાર છે..” ‘ઉપકાર નહીં, કર્તવ્ય! પૌત્ર તરફનું કર્તવ્યા' માતાજી, આપના માર્ગદર્શન મુજબ જ જીવું છું અને ભવિષ્યમાં જીવીશ.”
સાસુ-વહુનો વાર્તાલાપ ચાલતો હતો, ત્યાં કુમાર ગુણચંદ્ર પ્રવેશ કર્યો. આવતાંની સાથે કુમારે કહ્યું: શ્રી સમરાદિત્ય મહાકથા
૧૭
For Private And Personal Use Only